Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન, ગાંધીનગર ખાતે કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું હાર્દિક સ્વાગત કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, રાજભવન, ગાંધીનગર ખાતે પહોચ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટની મળશે બેઠક

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે. આ બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત વર્તમાન ટ્રસ્ટીઓ બેઠકમાં સામેલ થશે. મહત્વપૂર્ણ છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વિકાસ ના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી વર્ચુઅલ બેઠક યોજાતી હતી.

આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂંક કરવામાં આવી શકે છે. આ સાથે જ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ મંજૂરી મળી શકે છે.

संबंधित पोस्ट

કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા 13 થી 16 મે દરમિયાન યોજાશેઃ 4588 જગ્યાઓ માટે 18 લાખથી વધુ ઉમેદવારો, એક ક્લિકથી જાણો પરીક્ષા કેન્દ્રનું લોકેશન

Karnavati 24 News

નાણામંત્રીએ નિમણૂક પત્રોનું કર્યું વિતરણ, કહ્યું – એન્જિનિયરિંગ સ્નાતકથી લઈને 12 પાસ સુધીના માટે તક

Admin

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

Admin

મન કી બાતનો 89મો એપિસોડ: પીએમ મોદીએ કહ્યું- સ્ટાર્ટઅપ્સની દુનિયા નવા ભારતનું પ્રતિબિંબ છે, દેશમાં યુનિકોર્નની સંખ્યા 100ને વટાવી ગઈ છે

Karnavati 24 News

દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ મોદીએ કહ્યું- 8 વર્ષ પહેલા ખેડૂતો યુરિયા માટે લાકડીઓ ખાતા હતા, અમે 5 બંધ ફેક્ટરીઓ ખોલી

Karnavati 24 News

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News