Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારદેશ

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Pension and Salary Rules: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા કર્મચારીઓને પેન્શનને લઈને મોટી યોજના બનાવવામાં આવી રહી છે, ત્યારબાદ તમામ કર્મચારીઓના પેન્શનમાં બમ્પર વધારો થશે. અત્યારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળના કર્મચારીઓનો મિનિમમ સેલરી વધારવાની વાત ચાલી રહી છે.સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

21,000 રૂપિયા થશે સેલેરી
આપને જણાવી દઈએ કે હાલમાં કર્મચારીઓનો મિનિમમ સેલરી 15,000 રૂપિયા છે, જેને વધારીને 21,000 રૂપિયા કરવામાં આવી શકે છે.કર્મચારીઓનો મિનિમમ સેલરી વધ્યા બાદ પેન્શનમાં પણ વધારો થશે. મીડિયા રિપોર્ટ મુજબ કર્મચારીઓના મિનિમમ સેલરીમાં વધારાને કારણે પેન્શનમાં પણ વધારો થશે.
2014માં પણ વધી હતી મિનિમમ સેલરી
કેન્દ્ર સરકારે છેલ્લી વખત વર્ષ 2014માં મિનિમમ સેલરીમાં વધારો કર્યો હતો. હાલમાં ફરી એકવાર સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. જો પગાર વધશે તો પેન્શન અને પીએફનો હિસ્સો પણ આપોઆપ વધશે. સરકારના મિનિમમ સેલરીમાં વધારો કરવાથી ભવિષ્ય નિધિમાં કર્મચારીઓનું યોગદાન પણ વધશે.
કેટલું થઈ જશે પીએફનું કોન્ટ્રિબ્યૂશન
આ સમયે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 15,000 રૂપિયા ગણવામાં આવે છે, જેના કારણે EPS એકાઉન્ટમાં મહત્તમ 1250 રૂપિયા જ ફાળો આપી શકાય છે. જો સરકાર પગાર મર્યાદા વધારશે તો યોગદાન પણ વધશે. પગારમાં વધારા પછી માસિક યોગદાન 1749 રૂપિયા (21,000 રૂપિયાના 8.33 ટકા) થશે.
કર્મચારીઓને મળશે અનેક ફાયદા
સરકારના આ નિર્ણયથી કર્મચારીઓને રિટાયરમેન્ટ વખતે પણ વધુ પેન્શનનો લાભ મળશે. જો કોઈ કર્મચારી 20 વર્ષ સુધી કામ કરે છે, તો તેને EPS દ્વારા માસિક પેન્શન 7286 રૂપિયા મળશે. આ ઉપરાંત પગાર વધારાને કારણે કર્મચારીઓને અન્ય ઘણા લાભો પણ મળશે.

संबंधित पोस्ट

આવતા મહિને ખેડૂતોને આપવામાં આવશે બે હજારની સહાય આપશે .

Karnavati 24 News

ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા! બાઇડનએ રશિયાને ચેતવણી આપી, કહ્યું કે જો હુમલો થશે તો યુક્રેન બદલો લેશે

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર : સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-3 હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ

Karnavati 24 News

ઓલપાડ : કીમ ગામે કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું

Karnavati 24 News

ભારતવંશી બાળરોગ નિષ્ણાત ડૉ. અંગરાજ ખિલ્લનને ઑસ્ટ્રેલિયન ઑફ ધ યરનો પુરસ્કાર કરાયો એનાયત

Admin
Translate »