તાપી નદીને શુદ્ધ કરવામાં આવશે તેવું નિવેદન બીજેપી પ્રદેશપ્રમુખ આર પાટીલે આપ્યું હતું. તાપી નદીમાં શુદ્ધિકરણ માટે સૌથી મોટું કામ હાથ ધરવામાં આવશે. ટેન્ડર નો એક પણ રૂપિયો ચૂકવ્યા વિના તાપી નદીને ઊંડી કરવામાં આવશે. રોયલ્ટીના રૂપિયા લીધા વિના તાપી નદીને લાગતું આ કામ કરાશે.
23 કિલોમીટર લાંબી તાપી નદીને ઊંડી કરાશે. આ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ ની જેમ જ સુરતનો રિવરફ્રન્ટ પણ બનશે. શહેરમાં બેરેજ પણ બનાવવામાં આવશે જેથી સુરતવાસીઓને ચોખ્ખું પાણી મળી શકે. રાજ્ય સરકારે 900 કરોડનું ટેન્ડર પાડ્યું છે ૨૩ કિલોમીટર લંબાઇમાં તાપી નદીને ઉંડી કરાશે.
આ અંગે વધુમાં જણાવતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરત આજની સભામાં જણાવ્યું હતું કે, ૨૩ કિલોમીટર સુધી તાપી નદીને ઊંડી કરવામાં આવશે અને દસ વર્ષ સુધી તેનું મેન્ટેનન્સ પણ થશે. એના કારણે આપણી નદી ની કેપેસીટી વધી જશે.
તાપી નદીની કેપેસિટી વધવાના કારણે નદી બંને કાંઠે વહેતી દેખાશે. ૨૩ કિલોમીટર નદીને ઉંડી કરવાનું કામ એક વર્ષમાં કામ પૂર્ણ થાય એવા મોટા મોટા જે મશીનરી જેની પાસે છે તેઓ જ આ ટેન્ડરો ભરે. એવી કડક શરતો સાથે સરકારી ટેન્ડર ભરવું તેમ કહ્યું હતું.