(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાપન કાર્યક્રમ તારીખ ૧૯મી ફેબ્રુઆરીની રોજ કરવામાં આવ્યું. આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લીધું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, તસવીરે ગાંધીનગરના તંત્રીશ્રી કશ્યપભાઈ નિમાવત, શ્રી કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન કાર્યક્રમ દરમિયાન જિલ્લાઓના ટીમ લીડર દ્વારા કાર્યક્રમના સંદર્ભે પોતાના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી કચેરી નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું.