Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

આપના બન્ને દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા જ બનેલા મુખ્યમંત્રી ભગવંત માન અા બન્ને આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમના બન્નેનો ભવ્ય રોડ શો નિકોલ વિસ્તારમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં ધોમધખતા તાપમાં પણ હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ સહીતના લોકો અેકત્રિય અત્યારથી જ થઈ ચૂક્યા છે.

નિકોલ ઉત્તમ નગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શોની શરૂઆત ટૂંક જ સમયમાં થશે. દોઢ કલાકથી 2 કલાક જેટલો રોડ શો ચાલશે. જો કે આ પહેલા આ રોડ શો નિકોલ ગામ ખોડીયાર મંદિરથી શરૂ કરી ઠક્કરબાપા નગર બ્રિજના છેડા સુધી હતો. રોડ શો શા માટે ટૂંકાવવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે થયેલા હુમલા બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી છે. આજે જ ગાંધી આશ્રમની બન્ને નેતાઓની મુલાકાતમાં ગાંધી આશ્રમમાં પણ 2 ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા.
ગઈ કાલે બેનરો ઉતારી લેવાતા આપના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અસારવા વિસ્તારમાં જ રોડ શોના બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા. આપના કાર્યકર્તાઓનું ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં અેવું કહેવું હતું કે, બીજેપી બન્ને નેતાઓની એકસાથેની મુલાકાતમાં ભાજપ સરકાર ડરી ગઈ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે મોટી સંખ્યામાં આ રૂટની અંદર આપના કાર્યકર્તાઓ અને સમર્થનો વગેરે અત્યારથી જ જોડાઈ ચૂક્યા છે.

संबंधित पोस्ट

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસે રજૂ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ગાંધીનગર જિલ્લામાં મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ-સરનામાં વગરનાં ચૂંટણીલક્ષી ચોપાનિયાં અને ભીંતપત્રો છાપવા કે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મેદાનમાં ઉતરશે ‘ગાંધી’ પરિવાર

Karnavati 24 News
Translate »