Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણરાજ્ય

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ, અધિકારીઓ તથા પેરામીલટ્રી ફોર્સ દ્વારા સતત ફલેગ માર્ચ યોજી દેખરેખ રાખવામાં આવી રહી છે. આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓ પણ લોકોના દિલ અને વોટ જીતવા સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સભા ગજવવા રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ ભાજપના ઉમેદવાર કે જે ચૂંટણીમાં ઊભા છે તેઓ માટે પ્રચાર કરવા ખુદ નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ૨૮ નવેમ્બરના રાજકોટ આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે સભા ગજવશે. જામનગરના એરપોર્ટ પર ઉતરી સીધા રાજકોટ સભા સ્થળે પહોંચવાના છે જેથી રાજકોટના તેમના અઘિકારીઓ પદાધિકારીઓ અને પોલીસ કમિશ્નર વગેરે અધિકારીઓએ તાબડતોબ મીટીંગો યોજી આયોજન કરવાનું કામકાજ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત તથા સભામાં કોઈ ભૂલચૂક ન થાય તે માટે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર ઉપરાંત ચારેય ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી), ફાયરબ્રિગેડ, પીજીવીસીએલ, આરટીઓના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. હાલ જ વડાપ્રધાનની જાહેરસભા દરમિયાન સુરક્ષામાં છું રહી ગઈ હોય તેમ આસમાનમાં ડ્રોન ઉડતા દેખાય હતા ત્યારે ખાસ રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સુરક્ષા વધુ કડક કરી રહ્યા હોય તેમ બધા અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

संबंधित पोस्ट

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

Karnavati 24 News

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

સુખવિન્દર સિંહ સુખુ બનશે હિમાચલ પ્રદેશના નવા સીએમ! નિર્ણય પર પાર્ટીથી નારાજ પ્રતિભા સિંહ

Admin

થરાદ માં ભાજપ ની ટીકીટ શંકર ચૌધરી ને મળતા કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી…!

Admin

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની ( E.O.W ) આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરાઈ.

Karnavati 24 News

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

Karnavati 24 News
Translate »