Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલીમાં હોળી – ધુળેટી ના પર્વ ને ગણતરી ના દિવસો બાકી હોય જ્યારે બજારો ધમધમી ઊઠી

ભારતીય સંસ્કૃતિ મુજબ વિવિધ તહેવારોમાં વિવિધ વાનગીઓ આરોગવાની પરંપરા રહી છે, અને તેમાંય હોળી-ધુળેટી પર્વે હોલિકા દહનમાં ધાણી, ચણા, ખજૂર સહિતની વિવિધ સામગ્રીઓ પૂજામાં મુક્યા બાદ આરોગતા હોય છે. હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા સહિત સામગ્રીઓની માંગ વધુ હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે બજારો બંધ રહેતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા, ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછું થતાં અમરેલી શહેરની બજારો ધમધમી ઊઠી છે. શહેરના મુખ્ય માર્ગો  સહિતના વિસ્તારોમાં હંગામી ધોરણે સ્ટોલ ઊભા થઈ ગયા છે. જોકે, હજુ હોળી-ધૂળેટી પર્વને ગણતરીના દિવસો  બાકી છે, ત્યારે નજીકના દિવસોમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓ આશા સેવીને બેઠા છે.બજારમાં ધીમીગતિએ ગ્રાહકીનો માહોલ બંધાયો છે ધોળી-ધુળેટીના રંગોત્સવની બાળકો અને યુવાનો વિશેષ આનંદ લેતા હોય છે,હોલિકા દહનના બીજા દિવસે ધુળેટીના પર્વે અબાલ વૃદ્ધ સૌકોઈ રંગોત્સવ મનાવે છે અબીલ ગુલાલની છોળો વચ્ચે રંગોનો તહેવાર મનભરી ઉજવાઈ છે બજારમાં ઘાણી ખજૂર,સહિતની વસ્તુની ખુબ જ માંગ રહે છે,સાથે ધુળેટી પર્વ માટે રંગો અને પિચકારી સહિતની માંગ પણ ખુબ જોવાઈ છે ત્યારે હાલમાં અમરેલીની બજારમાં ધીમે ધીમે રોનક જોવાઈ રહી છે.

રંગબેરંગી પિચકારીની માંગ નીકળી છે  વેપારીના કહેવા મુજબ હાલમાં ચીનના સામાનની આવક બિલકુલ બંધ છે  બાળકો માટે અલગ અલગ થીમ આધારિત પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે બેટ,છોટાભીમ, બારબી ટેન્ક,વિવિધ કાર્ટૂન અને મિસાઈલ ટેક્નિક વાળી પીચકારીનું વિશેષ માંગ રહે છે જોકે છોટા ભીમનો લોકપ્રિયતા યથાવત છે પિચકારીમાં અલગ અલગ ફંક્શન ધરાવતી અંદાજે ૫૦ થી ૬૦ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે જેમાં ફેન્સી,ગન હેન્ડલ ,બાંસુરી અને સ્પાઇડરમેન સહિતની વેરાયટી બાળકોને મોહી રહી છે.

संबंधित पोस्ट

કેવડિયામાં રાજ્ય અને કેન્દ્રીય શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓની ચિંતન શિબિર યોજાઈ

Karnavati 24 News

બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા:સુરતમાં પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

Karnavati 24 News

શિયાળાની ઋતુમાં વલસાડ જિલ્લામાં માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બન્યો, ઉત્પાદન ઘટ્યું

Karnavati 24 News

એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો,વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

Admin

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News

વાપીમાં જાન્યુઆરી 2020માં રાઇટરસેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી 16 લાખની લુંટના ગુનામાં ચાર SOG/LCB એ GRD જવાન સહિત 4 આરોપીઓને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો

Karnavati 24 News