Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત : પલસાણાના ચલથાણમાં રેલવે યાર્ડમાં ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું રો મટીરીયલ ઠલવાય છે : પ્રજા ત્રાહિમામ !

સુરત ભૂસાવલ રેલવે લાઇન પર આવેલા ચલથાણ રેલવે સ્ટેશન યાર્ડ પર છેલ્લા કેટલાક સમયથી દિવસ રાત ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું પાવડર ફોમમાં રો મટિરિયલ ઠલવાય છે. પાવડરની રજકણ હવામાં ભળવાને કારણે પર્યાવરણને તેમજ માનવ શરીરને નુકશાન કરે છે. આ બાબતે ચલથાણ પંચાયત, GPCB તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓને મળી સમસ્યાનો નિકાલ લાવવાની તજવીજ હાથધરી છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામે રેલવે યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટમાં વપરાતા રોમટેરીયલ ગુડ્સ ટ્રેન મારફતે પ્લેટફોર્મ પર ખાલી કરીને ટ્રકોમાં ભરી જેતે સ્થળે પહોંચાડવા આવે છે. ટ્રેનમાં આવતું રોમટેરિયલ પાવડર સ્વરૂપે હોય છે અને ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર ઠાલવી GCB મશીન દ્વારા ટ્રકોમાં ભરતી વખતે પાવડરની રજકણો ઉડી હવામાં ભળી હવાને દૂષિત કરે છે. તો બીજી તરફ આ ટ્રકોમાં ભરેલો પાવડર યાર્ડ માંથી જે તે સ્થળે લઈ જતી વખતે ડમફર ટ્રકોમાં બેફામ ઓવરલોડ મટેરિયલ ભરી ચલથાણના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટ્રકમાં ઓવરલોડ ભરેલું મટેરિયલ રસ્તા પર વેરાય છે અને વાહનો સ્લીપ થવાનો ભય રહે છે અને ટ્રકમાં ઓવરલોડ પાવડર સ્વરૂપે ભરેલા રોમટેરિયલ પર તાડપત્રી નહિ બાંધવાના કારણે ચાલુ ગાડીમાંથી પાવડરની રજકણો ઉડી વાહન ચાલકોના આંખમાં પડે છે, જેના કારણે અકસ્માત સર્જવવાનો ભય રહે છે. કેટલીક વખત યાર્ડમાંથી નીકળતા આ વાહનો બેફામ અને ગફલત રીતે ચલથાણના મુખ્ય માર્ગો પર દોડતા નાના મોટા અકસ્માતો સર્જાય છે. યાર્ડમાં ઠલવાતા સિમેન્ટ રો -મટેરિયલથી સર્જાતી સંખ્યાબંધ સમસ્યાને લઈ ચલથાણ પંચાયત એક્શનમાં આવી આ બાબતે રેલવે વિભાગ તેમજ GPCBને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. રેલવે યાર્ડમાંથી ઊડતી આ રજકણના કારણે રેલવે સ્ટેશન આસપાસની સોસાયટીના રહીશો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે એ રજકણ શ્વાસમાં જવાથી સંખ્યાબંધ લોકોને શ્વાસની તફલીક તેમજ બીમારી થવાની ઘટનાનો સામે આવી છે. તો આ રજકણો ઘરમાં નહિ આવે તે માટે ગૃહિણીએ આખો દિવસ ઘરના દરવાજા બંધ રાખવા પડે છે, તેમજ ઘરની છતનો ઉપયોગ પણ કરી શકતા નહિ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એ બાબતે તંત્ર વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એ જરૂરી બન્યું છે. આ સિમેન્ટ મટીરિયલની ડસ્ટ એટલી હાનિકારક છે કે, શ્વાસમાં જવાથી શ્વાસના રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે. વળી બેફામ ઓવરલોડ ટ્રકો પણ માતેેલા આખલા સમાન બજારમાં બેફામ દોડતા છાશ વારે અકસ્માત સર્જાય છે. એ બાબતે અમે જવાબદાર તંત્રને પહેલા નોટિસ આપીશું અને જરૂર પડ્યે તો ટ્રકો અટકાવીશું. – મહેન્દ્ર દેસાઈ, સરપંચ, ચલથાણ પંચાયત

संबंधित पोस्ट

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News

શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

9760 જગ્યાઓની ભરતી માટેની આવતીકાલે છેલ્લી તારીખ: 7 વિષયોમાં વરિષ્ઠ શિક્ષક માટે અરજી કરો, પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે

કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાત માટે વિશેષ જાહેરાતો

Gujarat Desk

પ્રાંતિજમાં ટ્રક સાથે ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકનું મોત

Gujarat Desk

આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

Gujarat Desk
Translate »