Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે!, માર્ચના અંતમાં રાજકીય ભાવીનો ફેસલો કરશે

ગુજરાતના રાજકારણમાં વિધાનસભા ચૂંટણી પહેલા નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સમાવવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પછી હવે ભાજપે પણ આમંત્રણ આપ્યુ છે. નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે પોતાનું નિવેદન આપ્યુ છે. નરેશ પટેલે કહ્યુ કે 20થી 30 માર્ચ વચ્ચે યોગ્ય નિર્ણય કરીશ.

નરેશ પટેલે કહ્યુ કે રાજકારણ અંગે યોગ્ય સમયે સમાજ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ. નરેશ પટેલે કહ્યુ કે, મારી વ્યક્તિગત ઇચ્છા છે કે મારે રાજકારણમાં જોડાવવુ જોઇએ. જોકે, હજુ સુધી નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે કોઇ નિર્ણય કર્યો નથી. નરેશ પટેલે કહ્યુ કે, રાજકારણમાં જઇને પ્રધાન બનવુ નથી, લોકો સુધી પહોચવાનું છે.

કોંગ્રેસમાં જોડાઇ શકે છે નરેશ પટેલ

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો વિધાનસભાની 50 બેઠક પર અસર થશે. નરેશ પટેલ પાટીદાર અગ્રણી છે.

નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવા માટેની પૂર્વ ભૂમિકા તૈયાર હોય તેમ લાગી રહ્યુ છે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો તેમણે મુખ્યમંત્રીનો ચહેરો કે નાયબ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવી શકે છે.

संबंधित पोस्ट

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબોધન બેઠકમાં હાજરી આપતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિષે આપ્યું આ નિવેદન

જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો. દશેરા ની મહાસભા માટેની પરવાનગી નકારી. જાણો વિગતે.

કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન

થરાદ માં ભાજપ ની ટીકીટ શંકર ચૌધરી ને મળતા કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી…!

Admin

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા

Translate »