Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સા મળે તેવા સંજોગો ઉજળા બન્યા છે અને હાઇકોર્ટના નિર્દેશ મુજબ વધતો ન હતો. કામગીરી ગતિમાં હોવાનું જાણવા મળ્યું છે. 

 પોરબંદરની મહારાણા મીલની ૨૫૦૦૦ વાર જેટલી જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ભાડે આપી હતી. આ જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ આ જમીન ખાલી કરતું ન હતું. આ જમીન ખાલી કરાવવા માટે મહારાણા મીલ કામદાર સંઘે હાઇકોર્ટમાં દાદ માંગવાનું નક્કી કર્યું હતું. મહારાણા મીલના કામદાર સંઘે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને કામદારોના હક્ક માટે લડતા દીપકભાઇ બાબરીયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ જમીન માટે વકીલ સોઢી મારફત હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

હાઇકોર્ટે મહારાણામીલના કામદારોની ફેવરમાં હુકમ કર્યો હતો. જેની સામે ડબલ બેન્ચમાં મહારાણા મીલ કામદાર સંઘે દાદ માગી હતી પણ કોરોનાકાળને કારણે આ કેસ આગળ વધતો ન હતો. મહારાણા મીલના કામદારો રામદેવભાઇ મોઢવાડીયાના સહયોગથી હાઇકોર્ટે આપેલી તારીખે ૨૪-૮-૨૨ના રોજ અમદાવાદથી કોંગ્રેસના આગેવાન દીપકભાઇ બાબરીયા અને કામદાર આગેવાન હમીરભાઇ શીંગરખીયા, રાજશીભાઇ પરમાર, પરસોતમભાઇ ટુકડીયા, જીવાભાઇ બોઘાભાઇ, જયસુખભાઇ ગગજ વગેરેએ વકીલ સોઢી મારફતે નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી.
કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે એમ અંતમાં રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર