Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

થરાદ માં ભાજપ ની ટીકીટ શંકર ચૌધરી ને મળતા કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી…!

થરાદ માં ભાજપ ની ટીકીટ શંકર ચૌધરી ને મળતા કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી…!

ગુજરાત માં 2022 વિધાનસભા ની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા જીલ્લા ની મહત્વની બેઠક ગણાતી થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરી ને આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. ટિકિટનું નામ જાહેર થતા શંકર ચૌધરી થરાદ એપીએમસી બનાસકાંઠા ના ભાજપ સાંસદ પરબત પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકોએ એપીએમસીમાં પહોંચી તેમણે આવકાર્યા હતા. જોકે શંકર ચૌધરીનું નામ વાવ વિધાનસભા માં ચાલી રહ્યું હતું. ત્યારે છેલ્લી ક્ષણોમાં શંકર ચૌધરીને થરાદ વિધાનસભા બેઠક પરથી નામ જાહેર થતા કાર્યકર્તાઓ થરાદ માર્કેટ યાર્ડ પહોચ્યા હતા.જ્યાં શંકર ચૌધરી એ કાર્યકર્તાઓ અભિવાદન ઝીલ્યું હતું.

મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે, વિકાસ એ મુખ્ય અને પહેલો મુદ્દો છે. અમે વિકાસના મુદ્દા પર આગળ વધીશું. અહીંયા કેટલાક વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચ્યું  નથી ત્યાં પાણી પહોચાડી ને કૃષિની અંદર એક ક્રાંતિ લાવીશું. સરહદી વિસ્તારો માં સૌથી પહેલો મુદ્દો સિંચાઈનું પાણી જે ગામડાની અંદર નથી પહોંચ્યું, ત્યાં પહોંચાડવાનું છે

संबंधित पोस्ट

સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર, કોર્ટે ટીવી પર જઈને માફી માંગવા કહ્યું

Karnavati 24 News

દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય – નરેન્દ્રભાઇ મોદી

Admin

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

‘આ પાકિસ્તાનથી જીતીને બન્યા છે ધારાસભ્ય…’ BJP સાંસદે આપ્યું નિવેદન, બિહારમાં રાજકારણ ગરમાયું

Admin

જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો. દશેરા ની મહાસભા માટેની પરવાનગી નકારી. જાણો વિગતે.