Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉનાળાનો આકરો તાપ શરુ : બારડોલીમાં ખેડૂતોને સિંચાઇ માટે અપાતાં પાવરમાં કાપ મુકાયો

બારડોલી ગ્રામ્ય વિસ્તારની વીજ કચેરી છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોને સિંચાઇ માટે અપાતાં પાવરમાં વધુ 2 કલાકનો કાપ મૂકી માત્ર 6 કલાક જ વીજ પ્રવાહ આપી ખેડૂતોને 35 ડીગ્રી આસપાસની ગરમીમાં ભર ઉનાળામાં સિંચાઇ માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ રજૂઆત કરતાં વીજ કચેરીના ડી.ઇ. જે.સી.પટેલે બે ફિકરાઈથી જણાવ્યુ કે ઉપરથી જ કહેવાયું છે 6 કલાક પાવર આપવાનો એટલે એમાં અમે કઈ કરી ન શકીએ. આ જવાબ સાંભળી ખેડૂતોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બારડોલી ગ્રામ્ય વીજ કચેરીના કાર્ય વિસ્તારમાં જ આવતા અલ્લું-બોરિયા વિસતારા ખેડૂતોને દિવસનું પાવરું રોટેશન બંધ કરી રાત્રી દરમ્યાન જ સિચાઈ માટે પાવર આપવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં બારડોલી વીજ કચેરીએ આવી ઉગ્ર રજૂઆત કરી હતી. જે ઘટનાને હજી ગણતરીના દિવસો વિત્યા છે, ત્યા હવે નાંદીડા વિસ્તારના ખેડૂતોએ 6 કલાક જ વીજ પાવર આપવામાં આવતો હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ પાવર ઓછો સમય માટે આપવા પાછળનું કારણ પણ ખેડૂતોને જણાવતા નથી. અને ઉપરથી મેસેજ હોવાથી 6 કલાક જ પાવર અપાય આવો જવાબ આપી ખેડૂતોને નારાજ કરી રહ્યા છે. ખેડૂતોએ મહામહેનતે પાક ધિરાણ લઈને ઉછેરેલા પાકમાં પોતાના આખા વર્ષના બજેટનું આયોજન કર્યું હોય છે, અને હાલ ગરમીની શરૂઆત થઈ છે. ત્યારે પાકમાં સિંચાઇ કરવી ખેડૂત માટે અનિવાર્ય છે. તેવા સંજોગોમાં વીજ કંપની પૂરતો વીજ પ્રવાહ ન આપે તો ખેડૂતોનો પાક સુકાવા સાથે જ મોટું આર્થિક નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે. અગાઉ મળતા 10 કલાકના પાવર સામે હાલ 8 કલાક પાવર આપવામાં આવી રહ્યો હતો. હવે 6 કલાક જ પાવર આપવામાં આવે છે. ખેડૂતોની આ સમસ્યાનું વહેલી તકે નિવારણ ન આવેતો ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. વીજ કંપનીના અધિકારી ખેડૂતોને પૂરતો પાવર આપે એવી ખેડૂતોની માંગણી કરી રહ્યા છે.

संबंधित पोस्ट

પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્નોના આધારે હશે: અલ્હાબાદ યુનિવર્સિટીની અંડરગ્રેજ્યુએટ ત્રીજા વર્ષની પરીક્ષા ઓનલાઇન

Karnavati 24 News

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

Karnavati 24 News

મોડાસાના કોલીહાર્ડ પાસે એક મહિલા બાઇકરનો સોનાનો દોરો ખડકાયો . .

Admin

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

પાટણ જીલ્લાના રાધનપુરના મર્ડરના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી પેરોલ ફલો સ્કવોડ – પાટણ

Admin