Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ખારોઇ હત્યા કેસમાં મુંબઈના ક્ચ્છી વેપારી પાસેથી વધુ એક વિદેશી પિસ્તોલ મળી આવી

ભચાઉના ખારોઈ નજીક ધોળા દિવસે પિસ્તોલના ભડાકે દઈ પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારવાના સવા મહિના જૂના ખૂન કેસમાં વધુ બે શખ્સો પર તપાસનો ગાળિયો કસાયો છે . એલસીબીએ હત્યા કેસમાં ચોબારીના વતની અને મુંબઈમાં કટલરી કોસ્મેટિક્સ આઈટમોનો જથ્થાબંધ વેપારી કરતાં વધુ એક આહીર યુવકની ધરપકડ કરી ઈટાલીયન બનાવટની પિસ્તોલ રીકવર કરી છે . પત્નીના પ્રેમીની પિસ્તોલના ભડાકે હત્યા થયેલી ગત ૧૮ જાન્યુઆરીની સવારે ૧૧ વાગ્યાના અરસામાં ખારોઈના સીમાડે નર્મદા કેનાલના પુલિયા પરથી બાઈક પર જઈ રહેલા ચોબારીના માવજી ભુરાભાઈ વરચંદ નામના યુવકની તેના જ ગામનાં શામજી વશરામ વરચંદે પિસ્તોલના ચાર રાઉન્ડ ફાયર કરી હત્યા કરી હતી . હત્યાના બે દિવસ બાદ પોલીસે શામજીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલી માર્શલ ફ્રાન્સ કંપનીની પિસ્તોલ કબ્જે કરી હતી . શામજીએ આ પિસ્તોલ ચોબારીના વતની અને મુંબઈમાં કટલરી – કોસ્મેટિક આઈટમનો જથ્થાબંધ વેપાર કરતા કૌટુંબિક ભાઈ પ્રવિણ ઊર્ફે ભાણુભા વશરામ ઊર્ફે વસો ઢીલા ( રાજાણી ) ( ઉ.વ , ૩૯ ) પાસેથી મેળવી હોવાનું જણાવતા લોકલ કાઈમ બ્રાન્ચે ત્રણેક દિવસ અગાઉ પ્રવિણની ધરપકડ કરી હતી . રાજસ્થાની શખ્સ પાસેથી બે પિસ્તોલ મેળવેલી પોલીસની પૂછતાછમાં પ્રવિણે ચોબારીમાં પાર્ટનરશીપમાં ખરીદેલી વાડીની ઓરડીમાં એક સ્ટીલના ડબ્બામાં વધુ એક પિસ્તોલ છૂપાવી હોવાનું કબૂલ્યું હતું . જેના પગલે એલસીબીની ટીમે ચોબારી – કડોલ રોડ પર આવેલી વાડીમાંથી ઈટાલીયન બનાવટની પિસ્તોલ અને બે મેગ્ઝિન કબ્જે કર્યાં છે . પ્રવિણે બંને પિસ્તોલ રાજસ્થાનના પાલીના રહીશ ભંવરલાલ બાદરરામ પાસેથી ખરીદી હોવાનું કબૂલતા પોલીસે હવે ભંવરલાલને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે . સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવિણ દિલ્હીના વેપારીઓ પાસેથી ચાઈનાથી ઈમ્પોર્ટ થતી કટલરી અને કોસ્મેટિક આઈટમ જથ્થાબંધ ખરીદી રીટેઈલ વેપારીઓને વેચાણ કરે છે . બેએક વર્ષ પૂર્વે એક – દોઢ કરોડનો માલ ખરીદયા બાદ સળંગ ત્રણ માસનું દેશવ્યાપી સજ્જડ લૉકડાઉન જાહેર થતાં માલ પડ્યો પડ્યો જ એક્સપાયર થઈ ગયો હતો . જંગી નુકસાનીમાં આવી ગયેલા પ્રવિણના લાખો રૂપિયાના પેમેન્ટ ચડી ગયાં હતા . દિલ્હીના વેપારીઓથી ફફડતાં પ્રવિણે કથિત રીતે સ્વરક્ષા માટે રાજસ્થાનના ભંવરલાલ પાસેથી પિસ્તોલ મેળવેલી પહેલી પિસ્તોલ બરાબર ચાલતી ના હોઈ શસ્ત્રોના સોદાગરે તેને બીજી પિસ્તોલ આપી પહેલી પિસ્તોલ પોતાની અનુકૂળતાએ પરત લઈ લેશે તેમ કહ્યું હતું .

संबंधित पोस्ट

 પુત્રીને પુરી રાખવા માટે માતા-પિતાએ ખાટલા પર જ બનાવી દીધી જેલ

Karnavati 24 News

જામનગર માં જેવા સાથે તેવા જેવી ઘટના થી ચકચાર …

Admin

સિદ્ધુ મુસેવાલા મર્ડર : હત્યામાં 2 યુવતીઓનો ઉપયોગ થવાનો હતો

Karnavati 24 News

જામનગર શહેર માં વધુ એક રિસવત ખોર ને પકડતી પોલીસ

Karnavati 24 News

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

વેરાવળના આંબલિયાળા ફાયરીંગ પ્રકરણમાં આરોપીની માતા સાથે ફરીયાદીને અનૈતિક સંબંધ હોવાથી મારી નાંખવાના ઈરાદે ઘટનાને અંજામ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો