Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

ભાજપે પોતાની કોર ટીમની જાહેરાત કરી છે. જેમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે. જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખશે. આ કોર કમિટી ગ્રુપમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર, જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડાનો સમાવેશ, શંકર ચૌધરી, ગણપત વસાવા, હર્ષ સંઘવી, રંજન પટેલનો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા રચના કરાયેલી કોર કમિટીના સભ્ય પાર્ટી લક્ષી નિર્ણય લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોઈપણ નિર્ણય લેવા માટે કારોબારી બોલાવવી પડતી હતી. હવે કોર કમિટીમાં નિર્ણય લઈ કારોબારીમાં મજૂરી લેવાની રહેશે. અગાઉ કોઈ પણ નિર્ણય માટે 40 સભ્યની સહમતી જરૂરી હતી. હવે 12 સભ્યની સહમતીથી પાર્ટીલક્ષી નિર્ણય લઈ શકાશે. *કોર કમિટીની રચના બાદ ભાજપે નવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પણ જાહેરાત કરી હતી. જેમાં 14 લોકોનો કરાયો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી નવી પાર્લામેન્ટરી બોર્ડમાં CM ભૂપેન્દ્ર પટેલનું નામ પણ ઉમેરાયું છે. આ સાથે જૂના તમામ નામો યથાવત રખાયા છે. તેમજ મહિલા મોરચાના દીપિકા સરડવાનો સમાવેશ કરાયો છે

संबंधित पोस्ट

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના

Karnavati 24 News

ગિરનારની લીલી પરિક્રમા કરવા ભવનાથમાં ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

Admin

જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો. દશેરા ની મહાસભા માટેની પરવાનગી નકારી. જાણો વિગતે.

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin

ભાવનગરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી, બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો કરશે

Admin

યુકેના આગામી પીએમ કોણ? ભારતીય મૂળના આ નેતા રેસમાં છે આગળ

Karnavati 24 News