Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા તેમના જુદા જુદા વિસ્તારોમાં કાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગે હાજર થઇ રહ્યા છે. ભાવનગર પશ્ચિમ બેઠકના ઉમેદવાર જીતુ વાઘાણી વરતેજમાં ચૂંટણી માટે કાર્યાલયના ઊદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા. આ ઉપરાંત કાળીયાબીડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલના કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ કાર્યકરો દોડવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં આગામી મહિનામાં જ ચૂંટણી યોજાવાની હોય તે માટે હવે થોડાક દિવસની જ વાર હોય ત્યારે હવે જુદા જુદા પક્ષો દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી માટેનો પ્રચાર તેજ થઇ રહ્યો છે. આગામી સમયમાં હજુ પણ વધારે ગતિથી પ્રચાર થશે. ગુજરાતમાં જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યો છે તે રીતે માહોલ વધુ ને વધુ ગરમ થતો જાય છે.

ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પુરી થઇ ગઈ છે. બીજા તબક્કાના મતદાનની ફોર્મ ચકાસણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે યોજવામાં આવશે.

संबंधित पोस्ट

રાજકોટ ખાતે પધારેલા યુવા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીજી નું સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

રાજયમાં જમીન રી સર્વેની મુદત 1 વર્ષ વધારાઈ: તમામ વાંધા અરજીઓનો નિકાલ લવાશે

Karnavati 24 News
Translate »