Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૦૬/૦૧/૨૦૨૨ ગુરૂવારના રોજ ૨૧.૩૦ કલાકે મોટા થાવરીયા ખાતે આર્મીમાંથી નિવૃત થયેલ સૈનિકોના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૦૭/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે ખારવા ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં, ૧૧:૦૦ વાગ્યે માર્કેટ યાર્ડ હાપા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. તદઉપરાંત મંત્રી ૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રી ૧૭:૦૦ કલાકે સરકીટ હાઉસ ખાતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ ૧૮:૦૦ કલાકે મંત્રી ચાવડા ગામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. તા. ૦૯/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે મંત્રી રણજીતનગર પટેલ સમાજ ખાતે જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન આયોજીત કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

संबंधित पोस्ट

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Karnavati 24 News