Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવી છે . જેમાં અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનનો સ્ટોપેજ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે . જેથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહી છે . મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને , રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ • અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે . આ ટ્રેન નં . 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 24 ડિસેમ્બરથી દરરોજ ( રવિવાર સિવાય ) મુંબઈ સેન્ટ્રલથી 06:10 વાગ્યે ઉપડશે અને 12.22 વાગ્યે અમદાવાદ પહોંચશે . 12.37 વાગ્યે રવાના થઈ 13.40 વાગ્યે ગાંધીનગર કેપીટલ પહોંચશે . આજ પ્રકારે ટ્રેન નં . 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગરથી 14.20 વાગ્યે ઉપડીને 15.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને 15.05 વાગ્યે રવાના થઈ 21.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે . આ બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે . આથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહેશે.આ ટ્રેનના સંચાલન સમય , સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે . પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ , મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID – 19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવાનું રહેશે . અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બર 2021 થી ચાલુ કરાશે .

संबंधित पोस्ट

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News

 રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે સીંગવડ અને લીમખેડા ખાતે રૂ. ૨૭ કરોડથી વધુના શૈક્ષણિક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

Karnavati 24 News

फरीदाबाद: सभी माताओं में गौ माता सबसे अधिक पूजनीय: स्वामी पुरुषोत्तमाचार्य

Admin

ચેરમેન ઉપર કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં આપ્યું નિવેદન

Karnavati 24 News

પાલિતાણા તાલુકામા બાળકો દ્વારા ચોપડા પૂજન કરી અનોખી રીતે દશેરા ઉજવ્યા

Admin

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

Karnavati 24 News