Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવી છે . જેમાં અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનનો સ્ટોપેજ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે . જેથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહી છે . મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને , રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ • અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે . આ ટ્રેન નં . 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 24 ડિસેમ્બરથી દરરોજ ( રવિવાર સિવાય ) મુંબઈ સેન્ટ્રલથી 06:10 વાગ્યે ઉપડશે અને 12.22 વાગ્યે અમદાવાદ પહોંચશે . 12.37 વાગ્યે રવાના થઈ 13.40 વાગ્યે ગાંધીનગર કેપીટલ પહોંચશે . આજ પ્રકારે ટ્રેન નં . 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગરથી 14.20 વાગ્યે ઉપડીને 15.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને 15.05 વાગ્યે રવાના થઈ 21.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે . આ બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે . આથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહેશે.આ ટ્રેનના સંચાલન સમય , સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે . પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ , મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID – 19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવાનું રહેશે . અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બર 2021 થી ચાલુ કરાશે .

संबंधित पोस्ट

વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડ્સ કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’નું આયોજન કરાયું : અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર

Gujarat Desk

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન

Gujarat Desk

અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા

Gujarat Desk

હર્ષદપુર ગામે થયેલ પ્રૌઢની હત્યામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પડતી પોલીસ

Karnavati 24 News

સુરતના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલ છઠ પૂજાનું આયોજન માં ગારીયાધાર ના લોકો જોડાયા

Admin
Translate »