Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રહેતા અને વાણવટીના વ્યવસાય તરીકે સંકળાયેલા જાણીતા મુસ્લિમ પરિવારનું આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું વહાણ ઈરાન નજીકના દરિયામાં ખરાબ હવામાનના કારણે જળમગ્ન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયામાં રહેતા મુસ્લિમ અગ્રણી અને વહાણવટી પરિવાર સાથે સંકળાયેલા કાસમભાઈ અબુભાઈ ભોકલના પરિવારજનોના નામનું ફેઝે તાજુદ્દીન બાબા- 2 નામનું આશરે 1200 ટનની કેપેસીટી ધરાવતું વહાણ ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરથી ખાંડ ભરીને ઈરાન તરફ નીકળ્યું હતું.આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ વહાણ મંગળવારે સવારના સમયે ઈરાન પહોંચે તે પહેલાં આ દરિયામાં વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવરણ સામે ટકી શક્યું ન હતું અને થોડી જ વારમાં આખું વહાણ પાણીમાં સમાઇ ગયું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વહાણ અકસ્માતમાં ખલાસીઓનો આબાદ બચાવ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ, ખંભાળિયા પંથકનું અને આશરે રૂ. છ કરોડ જેટલી કિંમત ધરાવતું વહાણે ઈરાન નજીક દરિયામાં જળસમાધિ લેતા વહાણવટી પરિવારોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

संबंधित पोस्ट

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

Admin

 પાટણની એમ. કે. શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની ઘટ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પાણી સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પ્રાંત અધિકારીશ

Karnavati 24 News