Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રહેતા અને વાણવટીના વ્યવસાય તરીકે સંકળાયેલા જાણીતા મુસ્લિમ પરિવારનું આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું વહાણ ઈરાન નજીકના દરિયામાં ખરાબ હવામાનના કારણે જળમગ્ન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયામાં રહેતા મુસ્લિમ અગ્રણી અને વહાણવટી પરિવાર સાથે સંકળાયેલા કાસમભાઈ અબુભાઈ ભોકલના પરિવારજનોના નામનું ફેઝે તાજુદ્દીન બાબા- 2 નામનું આશરે 1200 ટનની કેપેસીટી ધરાવતું વહાણ ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરથી ખાંડ ભરીને ઈરાન તરફ નીકળ્યું હતું.આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ વહાણ મંગળવારે સવારના સમયે ઈરાન પહોંચે તે પહેલાં આ દરિયામાં વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવરણ સામે ટકી શક્યું ન હતું અને થોડી જ વારમાં આખું વહાણ પાણીમાં સમાઇ ગયું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વહાણ અકસ્માતમાં ખલાસીઓનો આબાદ બચાવ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ, ખંભાળિયા પંથકનું અને આશરે રૂ. છ કરોડ જેટલી કિંમત ધરાવતું વહાણે ઈરાન નજીક દરિયામાં જળસમાધિ લેતા વહાણવટી પરિવારોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

संबंधित पोस्ट

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News

મોડાસાના કોલીહાર્ડ પાસે એક મહિલા બાઇકરનો સોનાનો દોરો ખડકાયો . .

Admin

ધુળેટીના સવારે હોળી પ્રગટાવતું એક માત્ર ગામ બાંઠીવાડા : અનોખી હોળીમાં મહિલાઓ ઢોલ વગાડતા જોવો અનેરો લ્હાવો,લઠ્ઠમાર હોળીમાં ઘોડાપુર

Karnavati 24 News

અમદાવાદ શહેરમાં 62 હજાર મકાનો વેચાયા વિનાના, મુંબઈમાં અઢી લાખ જાણો અન્ય શહેરોની સ્થિતિ

Karnavati 24 News

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News