Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ

સહકારી ક્ષેત્રના અગ્રણી અને ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું તેના વતનમાં અનાવરણ કરાયું હતું જે પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જાણીતા સહકારી અગ્રણી સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમાનું તેમના વતન લખધીરગઢ ગામે અનાવરણ કરવામાં આવ્યું હતું સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમા અનાવરણ પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના સહકારી અગ્રણીઓ અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, મગનભાઈ વડાવિયા સહિત નાફેડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે સ્વ.વાઘજીભાઇ બોડાએ નાના એવા લખધીરગઢ ગામથી રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ પ્રદાન કરી કરેલ કાર્યોને બિરદાવતાં મહાનુભાવોએ આ તકે લખધીર ગઢ ગામ  અને બોડા પરિવાર દ્વારા સ્વ.વાઘજીભાઇ ના ઋણ સ્વીકાર તરીકે તેમની પ્રતિમાનું ગામમાં અનાવરણ કરેલ છે.

તે બદલ તમામ મહાનુંભાવો દ્વારા  સમસ્ત લખધીરગઢ ગામનાં ગ્રામજનો અને બોડા પરિવાર ને અભિનંદન આપવામાં આવેલ.આ તકે  પોતાના પ્રસંગોચિત  વકતવ્ય મા મહાનુભાવો દ્વારા સ્વ.વાઘજીભાઇ સાથે ના સંસ્મરણો તરોતાજા કરી ભાવાંજલિ અર્પણ કરેલ. સ્વાગત પ્રવચન દલસુખભાઈ બોડા ફુવારા દ્વારા તથા આભારવિધિ એ. કે. પનારા દ્વારા કરાયેલ.

संबंधित पोस्ट

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાશે

Admin

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ: ભીડ વાયનાડની ઓફિસમાં ઘૂસી; કોંગ્રેસનો આરોપ – SFIના લોકોએ હુમલો કર્યો, સ્ટાફ સાથે પણ મારપીટ કરી

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા લડશે

Admin