13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતના મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ભડક્યા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની ચીફ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો હતો.
સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની ચીફ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે. જેથી તેની અગાઉ કાર્યવાહી કરવામાં પણ આવી હતી ત્યારે હવે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જુબાની માટે હાઈકોર્ટમાં બોલાવવા માટે અરજી કરવામાં આવી હતી જેના પર આજે સુનાવણી હતી.
રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. સરાકેર 8 મી એપ્રિલ સુધીનો મનાઈ હુકમ કર્યો છે. એટલે કે આગળ ટ્રાયલ કોર્ટ બદનક્ષીનો દાવો વધારી શકશે નહીં.
બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જુબાની માટે હાઈકોર્ટમાં બોલાવવા માટે અરજી કરવામાં આવી હતી અને જુબાની માટે હાજર થાય તેવી માંગણી કરવામાં આવી હતી. બદનક્ષીના કેસમાં તેમને અગાઉ સુરતમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે નકારતા પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
2019માં રાહુલ ગાંધી મામલે ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ કરવામાં આવી હતી આ બદનક્ષીના કેસ માંમલે ફરીથી અરજી કરવામાં આવી હતી. સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની ચીફ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો હતો જેના પર સુનાવણી આજે હતી. વાત જાણે એમ હતી કે,