Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

ચેરમેન ઉપર કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં આપ્યું નિવેદન

દેશની અગ્રગણ્ય ઇફકો તેમજ ગુજકોમાસોલના ચેરમેન ઉપર આજે કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં નિવેદન આપ્યું છે કે આક્ષેપ કરવા તેમની વર્ષો જૂની પરંપરા છે.
જોકે બાંધકામમાં કરાયેલા અક્ષત પાયાવિહોણા છે ગુજરાત રાજ્યની અગ્રણી ગણાતી ગુજકોમાસોલના ચેરમેન ઉપર કોંગ્રેસના બે ધારાસભ્યોએ બનાસકાંઠામાં જમીન ખરીદી મામલે વ્યાપક ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ કર્યું છે સાથોસાથ ગાંધીનગરમાં લોટ ખરીદી મામલે આઠ કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર કરાયા હોવાની રજૂઆત કરી છે જોકે ભરતી કૌભાંડ મામલે પણ ૧૪૦થી વધારે લોકોની નિયમ વિરુદ્ધ ભરતી કરાયા હોવાના આક્ષેપ કરાતા સહકાર આલમ સહિત સમગ્ર સરકારમાં વ્યાપક પ્રત્યાઘાત સર્જાયા છે.જોકે આ મામલે ઇડરમાં રાજકીય કાર્યક્રમમાં હાજર રહેલા દિલીપ સંઘાણીએ તમામ આક્ષેપોને વખોડ્યા હતા તેમજ કોંગ્રેસ ના ધારાસભ્યોને આડે હાથે લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસની પરંપરા માત્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપની છે. સાથોસાથ જમીન કૌભાંડમાં કોઈપણ પ્રકારનું ભ્રષ્ટાચાર થયો નથી તેમજ કોંગ્રેસના જે કોઈ ધારાસભ્યોએ ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યા છે તે લોકો હું હાલના તબક્કે થયેલા બાંધકામ ની રકમ કરતાં બમણી રકમ માં પણ બાંધકામ કરી આપે તો સહકાર આલમ દ્વારા તેની ખરીદી કરી લેવાનું નિવેદન આપ્યું છે ત્યારે હાલમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ગુજકોમાસોલ દ્વારા થયેલા બાંધકામને ખરીદી લેવાનું નિવેદન આપતાં હવે સમગ્ર રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે જોકે ભ્રષ્ટાચાર સહિત ભરતી કૌભાંડ મામલે આખરી સત્ય શું છે એ તો સમય બતાવશે પરંતુ દિલીપ સંઘાણીએ આપેલા નિવેદનને પગલે રાજકારણમાં વધુ એક ગરમાવો વ્યાપ્યો છે તે નક્કી બાબત છે. દિલીપ સંઘાણી ગુજકોમાસોલ, ચેરમેન

संबंधित पोस्ट

આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

Gujarat Desk

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

Karnavati 24 News

શિવસેનાએ પોતાના બળવાખોર ધારાસભ્યોને ફરી ચેતવણી આપી અને ભાજપ પર પ્રહાર કર્યા

Karnavati 24 News

ગુજરાતમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

Gujarat Desk

આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઇવ્સ તથા કોલોની અપાશે

Gujarat Desk

સામાજિક સમસ્યાઓ, કુરિવાજો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદર્શનનું

Admin
Translate »