Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

વાપીમાં કોરોનાને આમંત્રણ આપતો કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શૉ, VIA હોલમાં બુકીંગ ફુલ

આ અંગે આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 4 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યે વાપીમાં VIA ઓડિટોરિયમમાં The comedy fectory indiaનો 6ઠ્ઠો કોમેડી શૉ યોજાવાનો છે. આ કોમેડી શોને ઝાકીર ખાન નામના કોમેડિયન હોસ્ટ કરશે. આ કોમેડી શૉ માટે વડોદરાની એક એજન્સીએ વાપીમાં VIA ઓડિટોરિયમ બુક કરી તમામ ટિકિટોનું વેંચાણ કરી નાખતા હાલ આ શૉ ની ટીકીટ બ્લેકમાં પણ મળવી મુશ્કેલ બની છે. મળતી માહિતી મુજબ શૉના આયોજકોએ આ અંગે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જરૂરી તમામ મંજૂરી મેળવી લીધી છે.

વાપીમાં આયોજિત કૉમેડિયમ કિંગ ઝાકીર ખાનનો કોમેડી શૉ સાંજે 6 વાગ્યે VIA હોલમાં ખીચોખીચ મેદની વચ્ચે યોજાશે. જે બાદ આવા જ અન્ય શૉ જેમાં 5મી જાન્યુઆરીએ સંજીવ કુમાર ઓડિટોરિયમ સુરત ખાતે, 6 જાન્યુઆરી ના શ્રી સયાજીરાવ નગરગૃહ વડોદરામાં, 7 જાન્યુઆરી ના ટાઉન હોલ આણંદ માં, 8 જાન્યુઆરીએ એચ. કે. હોલ અમદાવાદ, 9 જાન્યુઆરીએ પણ એચ. કે. હોલ અમદાવાદ, 10 જાન્યુઆરીએ હેમુ ગઢવી ઓડિટોરિયમ રાજકોટમાં, 11 જાન્યુઆરીએ ધન્વંતરિ ઓડિટોરિયમ જામનગર માં યોજાશે.

જો કે આ કોમેડી શૉ અંગે વાપીના નગરજનોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે કે, એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે. વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ લોકોને સાવચેત રહેવા ભીડ નહિ કરવા જાહેરાત કરે છે. અપીલ કરે છે. અને બીજી તરફ ભીડ એકઠી કરતા આવા જાહેર કાર્યક્રમોને અને આયોજકોને કાર્યક્રમની પરમિશન આપી કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવે છે. જેમ રાત્રી કરફ્યુ લગાવવાથી કોરોના નહિ થાય? શુ આવા કોમેડી શૉ, નેતાઓની રેલીઓની પરમિશનમાં કોરોના નથી આવતો એવું તંત્ર માને છે? વહીવટી તંત્રની આવી બેધારી નીતિ એ જ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં તબાહી મચાવી હતી. જ્યારે હવે ત્રીજી લહેરને પણ વહીવટી તંત્ર ભીડ એકથી કરતા કાર્યક્રમોની પરમિશન આપી ફરી આમંત્રણ આપી રહ્યું છે. જેમાં આખરે પીસાવાનું તો જનતાએ જ છે.

संबंधित पोस्ट

શ્રિયા પિલગાંવકરે ‘તાઝા ખબર’નું શૂટિંગ પૂરું કર્યું, ભુવન બામ પણ હશે સાથે….

Karnavati 24 News

Wedding Dress: આલિયા સહિત અનેક અભિનેત્રીઓએ નથી પહેર્યા લગ્નમાં લાલ રંગના કપડા, શું છે તેનું મહત્વ?

Karnavati 24 News

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર : અજય દેવગન, સાઉથ સ્ટાર સુર્યાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો

Karnavati 24 News

Laal Singh Chaddha: ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પહેલા આમિરની ખરાબ હાલત, ચોંકાવનારો ખુલાસો

Karnavati 24 News

અભિનેતા પુનિત ઈસ્સર દ્વારા લિખિત “મહાભારત” નાટકની ગુજરાતમાં લાઈવ પ્રસ્તુતિ કરવામાં આવી

Karnavati 24 News

અજય દેવગન બાદ હવે કાજોલે OTTની દુનિયામાં પગ મૂક્યો છે, DDLJ સ્ટાઇલમાં જાહેરાત કરી…

Karnavati 24 News