Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

મંત્રીએ સમિતિના પ્રમુખ પૂજાભાઇ અને સમિતિના અન્‍ય સદસ્‍યો સાથે વાપીના VIA હોલ ખાતે પ્રમુખ અને એડવાઇઝરી કમિટિના સભ્‍યો સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્‍થિત રહીને VIAની કામગીરી અને પ્રવૃત્તિઓ અંગેની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, કોવિડ 19 જેવી મહામારીમાં પણ રાજય અને કેન્‍દ્ર સરકારના રાહતફંડમાં રૂા. 50 કરોડ અને વલસાડ જિલ્લા કલેકટરને રૂા. 10 કરોડ જેવી માતબર રકમ આપી હતી.

આ ઉપરાંત કોવિડમાં VIA ખાતે વાપીના ઔદ્યોગિક ઉત્‍પાદનમાં કામ કરતાં કામદારો અને તેમના પરિવારોને આજદિન સુધીમાં 49800 લોકોનું વિના મૂલ્‍યે વેકસીનેશન કરીને રાજય સરકારને સહાયરૂપ થયા છે. ત્‍યારબાદ સમિતિના સભ્‍યોએ વાપીના ગ્રીન એન્‍વાયરો હેઠળના CETP પ્‍લાન્‍ટની સ્‍થળ મુલાકાત લીધી હતી. આ પ્‍લાન્‍ટની કામગીરી નિહાળી હતી. સમિતિએ ઉદ્યોગનગરી ગણાતી વાપી નગરમાં ઉદ્યોગના વિકાસની સાથોસાથ GIDC એસ્‍ટેટમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ ક્ષેત્રે પણ જતન કરવાની કાળજી લીધી છે એ બદલ VIAને અભિનંદન આપ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, જાહેર હિસાબ સમિતિની કામગીરીની પૂર્વભૂમિકા આપતાં જણાવ્‍યું હતું કે, સરકારના તમામ વિભાગોને તેમના યોજનાકીય ખર્ચ માટે બજેટમાં જે નાણાં ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ યોગ્‍ય રીતે થાય છે કે નહિં તેની દેખરેખ રાખવાનું કામ જાહેર હિસાબ સમિતિનું છે. રાજયના વિકાસમાં ઉદ્યોગો આવશ્‍યક છે પરંતુ તેની સાથોસાથ પર્યાવરણની જાળવણી પણ એટલી જ જરૂર છે એમ જણાવ્‍યું હતું.

આ સમિતિના વાપી જી. આઇ. ડી. ના તમામ સ્‍થળોની મુલાકાતમાં સમિતિના સભ્‍યો આત્‍મારામભાઇ પરમાર, વિવેકભાઇ પટેલ, ર્ડા. અનિલભાઇ જોશીયારા, બળદેવજી ઠાકોર, ભગાભાઇ બારડ, વિરજીભાઇ ઠુમ્‍મર અને વાપી વી. આઇ. એ. ના પ્રમુખ કમલેશભાઇ પટેલ તેમજ વાપીના અગ્રણી ઉદ્યોગપતિ હાજર રહયા હતા.

संबंधित पोस्ट

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ જોવા મળી

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Karnavati 24 News