Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગરના એક વેપારી પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા

જામનગરની એક વેપારી પેઢીના સંચાલક દ્વારા પોતાની જરૂરિયાત માટે રૂપિયા બે લાખની રકમ મેળવી લીધા પછી ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાંથી પાછો ફરતાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે વેપારી પેઢીના સંચાલક ને તકસીરવાન ઠરાવી ૬ મહિનાની જેલની સજા ફટકારી છે. જામનગરમાં ગીતા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા નિલેશ નાનજીભાઈ વાણિયાએ પોતાને નાણાંની જરૂરિયાત ઊભી થતાં જામનગરના ટીબી હોસ્પિટલ પાછળ રહેતા રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા પાસેથી ૨ લાખ રૂપિયા હાથ મેળવ્યા હતા, અને તેના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં નિયત તારીખે નાણાંના અભાવે પાછો ફરતાં રઘુવીર સિંહ ઝાલા દ્વારા જામનગરની અદાલતમાં નિલેશ વાણીયા સામે ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી.જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપી વેપારીને તકસીરવાન ઠરાવ્યો હતો, અને ૬ મહિનાની જેલ સજા, તેમજ ચેક મુજબની રકમ રૂપિયા બે લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે. જે ફરિયાદીને વળતર સ્વરૂપે ચુકવવાનો આદેશ કર્યો છે.

संबंधित पोस्ट

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

Karnavati 24 News

 સમા રોડ સ્થિત પિત્ઝા પાર્લરના સંચાલક અને હાલોલના યુવકે બર્થડે પાર્ટીમાં આમંત્રિત સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

Karnavati 24 News

શ્રદ્ધા હત્યાકાંડની લવ જેહાદ એંગલથી તપાસ કરવાની માંગ, BJP MLAએ કહ્યું- આ એકમાત્ર મામલો નથી

Admin

 કીડાણા પાસે બે મહિલા ૧૦ બોટલ શરાબ સાથે ઝડપાઇ

Karnavati 24 News

 દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર આવ્યો ચકચારી બનાવ

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ઘરના આંગણે લોક મારી રાખેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરી વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.