Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગરના એક વેપારી પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા

જામનગરની એક વેપારી પેઢીના સંચાલક દ્વારા પોતાની જરૂરિયાત માટે રૂપિયા બે લાખની રકમ મેળવી લીધા પછી ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાંથી પાછો ફરતાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે વેપારી પેઢીના સંચાલક ને તકસીરવાન ઠરાવી ૬ મહિનાની જેલની સજા ફટકારી છે. જામનગરમાં ગીતા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા નિલેશ નાનજીભાઈ વાણિયાએ પોતાને નાણાંની જરૂરિયાત ઊભી થતાં જામનગરના ટીબી હોસ્પિટલ પાછળ રહેતા રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા પાસેથી ૨ લાખ રૂપિયા હાથ મેળવ્યા હતા, અને તેના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં નિયત તારીખે નાણાંના અભાવે પાછો ફરતાં રઘુવીર સિંહ ઝાલા દ્વારા જામનગરની અદાલતમાં નિલેશ વાણીયા સામે ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી.જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપી વેપારીને તકસીરવાન ઠરાવ્યો હતો, અને ૬ મહિનાની જેલ સજા, તેમજ ચેક મુજબની રકમ રૂપિયા બે લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે. જે ફરિયાદીને વળતર સ્વરૂપે ચુકવવાનો આદેશ કર્યો છે.

संबंधित पोस्ट

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

Admin

 કીડાણા પાસે બે મહિલા ૧૦ બોટલ શરાબ સાથે ઝડપાઇ

Karnavati 24 News

રાજકોટમાંથી મોટું જુગાર ક્લબ પકડાયું: પોલીસ દ્વારા ૧૫ જુગારી સાથે ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin

ડેટીંગ એપ્સનો ઉપયોગ કરતા યુવાઓ સામે લાલબત્તી સમાન કીસ્સો, આ રીતે થાય છે છેતરપીંડી

Admin

સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર મિત્રતા કેળવી આચર્યુ દુષ્કર્મ

Karnavati 24 News