Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

જામનગર શહેર અને જિલ્લામાં શનિવારે-રવિવારે રાત્રે કર્ફ્યુની અમલવારી દરમિયાન ત્રણ મોટર સાયકલ ચાલક તથા એક રિક્ષા ચાલક દારૂનો નશો કરેલી હાલતમાં નીકળેલા મળી આવ્યા હતા જેથી પોલીસ તંત્ર દ્વારા તેઓની સામે કરફ્યુ ભંગ ઉપરાંત દારૂબંધી ભંગ અંગેનો પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર શહેરમાં રાત્રી કરફ્યુની પોલીસ તંત્ર દ્વારા અમલવારી કરાવવામાં આવી રહી હતી, તે દરમિયાન આવાસ કોલોની વિસ્તારમાં રહેતો મનોજ ઉર્ફે કંકુ કાંતિભાઈ પરમાર કે જે પોતે ઈંગ્લીશ દારૂની બાટલી લઈને જાહેરમાં પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતાં દારૂ મુકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી લઈ આરોપી મનોજની શોધખોળ હાથ ધરી છે.આ ઉપરાંત જામનગર નજીકના દરેડ વિસ્તારમાંથી દારૂનો નશો કરીને બાઇક પર નીકળેલા આકાશ વિનોદભાઈ નડીયાપરા નામના શખ્સને પોલીસે પકડી પાડયો છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધી પોલીસમથકમાં બેસાડી દીધો છે.જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસેથી દારૂનો નશો કરીને બાઇક પર નીકળેલા જીતેન્દ્ર પ્રેમજીભાઈ કોળીને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધી બાઇક કબજે કરી લીધું છે. કાલાવડ – બાલંભડી રોડ પર ગણેશ નગર વિસ્તારમાંથી મયુર મગનભાઈ ડાંગર નામનો રિક્ષાચાલક દારૂનો નશો કરીને રિક્ષામાં પસાર થતાં પોલીસે તેની અટકાયત કરી લઇ તેની સામે કરફ્યુ ભંગ ની સાથે સાથે દારૂબંધી બંધ અંગે ગુનો નોંધ્યો છે, અને રિક્ષા કબજે કરી લીધી છે.આ ઉપરાંત ખીમાણી સણોસરા ગામ નો લકીરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા નામનો બાઇકચાલક કાલાવડના આણંદપર ગામ ની ચેકપોસ્ટ પાસેથી દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવતાં પોલીસે તેની દારૂબંધી ભંગ બદલ અટકાયત કરી લીધી છે, અને બાઇક કબજે કર્યું છે.

संबंधित पोस्ट

ડાકોરમાં જુગાર રમતા 13 શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) પોલીસે ઝડપી પાડ્યા

Gujarat Desk

કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો

Gujarat Desk

છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધારી ૩૨,૯૨૪ મેગાવોટ કરવામાં આવી: ઊર્જા મંત્રીશ્રી

Gujarat Desk

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વગોળી અને મોરબી સાથેની અતૂટ લાગણીને યાદ કરી હતી મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી મોરબીના મચ્છુ ડેમમાં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.આ ઉપરાંત મોરબીના કોરોના બાદની મોરબી વાસીઓનો સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવી મોરબી નું મનોબળ મજબૂત હોવાનું જણાવી મજબૂત મોરબીથી પણ સંબોધન કર્યું હતું.આ સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી. મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ તાગ મેળવ્યો હતો.આ સમયે મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા ,તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખાસ મુલાકાત કરી હતી જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને જીલ્લા અગ્રણી દંપતીએ રજુઆત કરી હતી.

Karnavati 24 News

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસ ફેલાયો

Gujarat Desk

પા-પા-પગલી પ્રોજેકટ : 3 થી 6 વર્ષના બાળકો માટે વરદાન : મનીષાબેન વકીલ

Karnavati 24 News
Translate »