Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડનો પડઘો આજે સંસદમાં પડયો હતો તથા કોંગ્રેસના સીનીયર નેતા તથા સાંસદ શક્તિસિંહ ગોહિલ તથા આમ આદમી પાર્ટીના સંજયસિંહે ઉપલા ગૃહમાં નિયમ 267 હેઠળ નોટીસ ફટકારી હતી. ગુજરાતમાં લઠ્ઠાકાંડના કારણે 55થી વધુ લોકોના મોત થયા છે અને તથા અગાઉ જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા આ લઠ્ઠાકાંડની હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદ હેઠળ તપાસ લઠ્ઠાકાંડ તથા રાજયમાં ગેરકાનુની રીતે વેચાતા શરાબ માટે જવાબદાર પોલીસ અધિકારી સામે તપાસ તથા જેમાં ઝેરી શરાબ પીને મૃત્યુ પામ્યા છે. તેઓના નજીકના સગાને સહાય સહિતની માંગ કરી હતી. આજે ગોહિલે આ મુદે રાજયસભામાં સભા મોકુફીની દરખાસ્ત કરી હતી. જો કે આજે રાજયસભાએ અનેક મુદા પર ભારે હંગામો થયો હતો અને અધ્યક્ષ દ્વારા બે વખત ગૃહ મોકુફ રાખવાની ફરજ પડી હતી. *રાજ્યમાં દારૂબંધી હોવા છતા ખુલ્લેઆમ વેચાતા દારૂ મુદ્દે ગૃહમાં તથ્ય રજૂ કરશે : વિપક્ષના સાંસદ શક્તિસિંહ ગોહીલ તથા ‘આપ’ના સાંસદ સંજયસિંહે નિયમ 267 હેઠળ ચર્ચા માંગી : હાઇકોર્ટના સીટીંગ જજ મારફત તપાસ તથા પોલીસ અધિકારીઓ સામે એકશન તથા ભોગ બનનાર પરિવારને વળતરની માગણી કરશે*.

संबंधित पोस्ट

‘ધારા‘સભ્યોને મકાનનું ભાડું રોજનો સવા રૂપિયો, મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત!

Karnavati 24 News

13 શહેર અને જિલ્લાની 47 બેઠકો માટે કોની પસંદગી કરવી તેના પર ભાજપનું આજે મંથન

Admin

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

આ વખતે આ રહેશે ચૂંટણી દરમિયાન વ્યવસ્થા, રેડ લાઈટ એરીયામાં પણ વ્યવસ્થા

Admin

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ