Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 કચ્છમાં અપમૃત્યુના વધુ બે બનાવોથી અરેરાટી

અંજારમાં વરસામેડી રહેતા ૧૯ વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો. અને માંડવીમાં રહેતા ૨૨ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું હતું. એમ બે અપમૃત્યુના બનાવો બન્યા હતા. અંજારના વરસામેડીમાં બાગેશ્રી બંગલોઝમાં મકાન નં. ૧૪૨ માં રહેતા ૧૯ વર્ષીય પ્રકાશ બાબુલાલ બિશનોઈ ગઈ કાલે સવારે ન્હાવા માટે બાથરૂમ ગયા હતા ત્યાં બાથરૂમમાં રાખેલા ગરમ પાણીના હિટર માંથી તેને વીજ શોક લાગતા તેને સારવાર માટે આદિપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતથી મૃત્યુ થયું હોવાની નોંધ કરી હતી અને આગળ વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ માંડવી તાલુકાના પદમપુર ગામમા વાડીમાં રહેતા ૨૨ વર્ષીય રણજીત મહેન્દ્રભાઈ નાયકા નામના ખેતમજુરે ગત ૨૧ ડિસેમ્બરની રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઈયળ મારવાની દવા પી લીધી હતી અને તેની અસરથી તે બેભાન થઈ ગયો હતો. યુવકને પ્રથમ માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પછી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. શુક્રવારે સવારે સાત વાગ્યાના અરસામાં તેને અંતિમ શ્વાસ લીધો હતો. મૃતકના પિતાએ આપેલ જાહેરાત પરથી ગઢશીશા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

 પાટણની રાજનગરી સોસાયટીના રહીશને રખડતા ઢોરે હડફેટે લેતા હાથે ફ્રેક્ચર થયું

Karnavati 24 News

ओपेक के तीन डॉक्टर पर सामूहिक दुष्कर्म का आरोप, मुकदमा दर्ज़

Admin

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin

રાધનપુરથી ગોચનાદ પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત, 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

Karnavati 24 News

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

Admin