Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 ખનીજ માફિયાઓ પર તવાઇ : આણંદ ખનીજ માફિયાઓ ઉપર ગાંધીનગર વિજિલન્સના દરોડા

આણંદ જિલ્લાના વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે તપાસ કામગીરી . 4 ડમફર , 1 ટ્રેકટર એક જેસીબી અને 5 નાવડી સિઝ કરાઈ , હજુ તપાસ ચાલુ . મહિસાગર નદીના 70 કિલોમીટર લાંબા પટમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનન માફિયાઓ સક્રિયગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં ત્રણ વિસ્તારમાં સાત સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ અને ખનન ખનિજની ચોરી ઝડપાઈ છે . આણંદમાં આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક કચેરીની પોલ ખુલ્લી પડી ગઈ છે . રાજ્યની કિંમતી ખનીજ રેતી , માટી , બોક્સાઈટ , કાચો કોલસો , સીરેમિક , કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે . રાજ્યના અધિકારીઓ અને ભ્રષ્ટ રાજકીય આગેવાનોની સાથે ભાગબટાઈથી રાજ્યના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે . જોકે , હવે ગાંધીનગર વિજિલન્સ સક્રિય થઈ હોવાનું જણાય છે . ગાંધીનગર વિઝીલન્સની 3 ટીમો દ્વારા આણંદ જિલ્લાની મહીસાગર નદીના પટમાંથી સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરતા ખનન માફિયાઓમાં હાહાકાર મચી ગયો છે.મહિસાગર નદીના 70 કિલોમીટર લાંબા પટમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનન માફિયાઓ સક્રિય છે . જિલ્લાના વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે તપાસ કામગીરી આરંભાઈ છે . સવારથી જ ગાંધીનગર વિજિલન્સની ત્રણ ટીમોએ વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે આવેલા લિઝ ધારકોના પ્લાન્ટમાં અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હોવાની માહિતી મળી રહી છે . જ્યાં અવેધ રેતી ખનન અને બિનધિકૃત ખનીજ સંગ્રહ હાથ લાગ્યોહતો . સીધી ગાંધીનગર ટીમની કાર્યવાહીને લઈ ખનન માફિયાઓમાં દોડભાગ મચી હતી . જોકે સ્થાનિક કચેરીની શેહશરમ રાખ્યા વિના વાસદથી 4 ડમફર , 1 ટ્રેકટર એક જેસીબી અને 5 નાવડી સિઝ કરાઈ છે , હજુ તપાસ ચાલુ જ છે .

संबंधित पोस्ट

Health camps for Safai Kamdars

Karnavati 24 News

રાજ્યમાં આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, 8 ઓગષ્ટ પછી ભારે વરસાદ

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા

Karnavati 24 News

75 મા સ્વાતંત્ર દિવસ નિમિતે આઝાદી નો અમૃત મહોત્સવ મણીનગર વોડ ના મીલત નગર મા સુર્યાનગર પાસે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો .+

Karnavati 24 News

मध्य प्रदेश के रीवा में बस और ट्रक की टक्कर में 14 लोगों की मौत, 35 से ज्यादा यात्री घायल

Admin

આજકાલ મોંઘવારી બહુ નડે છે એટલે મત આપવાની ઇચ્છા થતી નથી પણ આપણો ધર્મ સમજી મત આપીશું

Admin
Translate »