Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ બદલાયા છે. લોચન સહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બન્યા છે.

લોચન સહેરા AMCના નવા કમિશનર બન્યા છે. તે 2002ની બેચના IAS અધિકારી છે. લોચન સહેરા 7 જુલાઇ 2014થી 7 મે 2016 સુધી મહેસાણાના કલેક્ટર રહી ચુક્યા છે. જ્યારે મે 2016થી 1 મેચ 2017 સુધી વડોદરા કલેક્ટર રહી ચુક્યા છે.

કોણ છે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર

ઇતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા લોચન સહેરા વર્ષ 2002ની ગુજરાત બેચના IAS છે. રાજકોટ ખાતે 2004માં આસિસ્ટન્ટ કલેક્ટરથી સનદી સેવાની નોકરીની શરૂઆત કરી હતી. તે પછી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર બન્યા હતા, તે બાદ ભરૂચ અને બાદમાં સુરતના જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા. તે પછી બઢતી સાથે દાહોદમાં કલેક્ટર તરીકે મુકાયા હતા, તે પછી ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી હતી. લોચન સહેરા અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી હતા

IAS મુકેશ પુરી જેઓ સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી હતા તેમની GSFC વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની ગાંધીનગર સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. કે.સી. સંપતને સુરેન્દ્રનગર ડીડીઓ બનાવાયા છે. નવનાથ કોંડીબાને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર બનાવાયા છે.

संबंधित पोस्ट

પોરબંદર પીજીવીસીએલે વર્તુળ કચેરી હેઠળ મોટાપાયે વીજ દરોડા : ૧ કરોડને પ લાખની ચોરી ઝડપાઇ

Karnavati 24 News

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin

જૂનાગઢ મનપા વિસ્તારમાં બી.યુ. સર્ટી મામલે કાયદાનું પાલન ચૂકેલા બિલ્ડર અને કર્મચારીઓને લીધે દંડાતા વેપારીઓ

Karnavati 24 News

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News