Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગર તાલુકાના મૂંગણી ગામમાં એક યુવાનનું બાઈક સળગાવાયું: ગામના જ એક શખ્સ સામે ફરિયાદ

જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા એક યુવાનનું મોટરસાઇકલ સળગાવી નાખવામાં આવ્યું છે. જે મામલે મૂંગણી ગામના જ શકદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મુંગણી ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા સાગર મનસુખભાઈ પરમાર નામના યુવાને સિક્કા પોલીસ મથકમાં પોતાના ફળિયામાં રાખેલું પોતાનું બાઇક કોઈ અજ્ઞાત શખ્સોએ સળગાવી નાખી રૂપિયા ૩૫,૦૦૦ નું નુકસાન પહોંચાડયાનું જાહેર કર્યું છે.જે બાઈક સળગાવી નાખવામાં શકદાર તરીકે મૂંગણી ગામ ના યુવરાજસિંહ દેદા અથવા તો તેના કોઈ મળતીયાનું કારસ્તાન હોવાનું જાહેર કર્યું છે. ફરિયાદી તથા આરોપીને અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ બાઇક સળગાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

संबंधित पोस्ट

સુરતના વરાછા વિસ્તારમાં કુબેર નગર સોસાયટી ખાતે દુકાનદારે મહિલાની છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

Karnavati 24 News

નકલી સીબીઆઈ ઓફિસર બની લૂંટારાઓએ વેપારીની ઓફિસ પર દરોડા પાડ્યા, 50 લાખ લૂટી ગયા

Admin

उदयपुर अहमदाबाद रेल मार्ग पर ब्लास्ट मामले में पुलिस ने तीन युवकों को पकड़ा

Admin

યુવતીના પરિવારને પ્રેમ લગ્ન મંજુર ન હોય: યુવતીનું અપહરણ કરી યુવકને ધોકાવી મારી નાખનાર ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News

સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર મિત્રતા કેળવી આચર્યુ દુષ્કર્મ

Karnavati 24 News

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ ભિલોડા નજીકથી પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો