Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

લખતર ખાતે શિયાણી દરવાજા પાસે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના નેતા ઇસુદાનભાઈ ગઢવીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ ખેડૂત સેલનાં પ્રમુખ રાજુભાઈ કરપડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા..આ અંગે મળતી માહિતી મુજબ જીલ્લામાં હાલમાં કમોસમી અને પાછોતરા વરસાદને કારણે ૧૨૨ જેટલા તાલુકામાં પાકને નુકશાન થયું છે અને સરકાર દ્વારા માત્ર ૩૨ તાલુકાઓમાં જ વળતર આપ્યું છે. તેમજ કોરોનાકાળમાં મીડિયાને જવાબ ન આપવો પડે તે માટે ખોટા પોઝિટિવના રિપોર્ટ કરાવીને ભાજપના નેતાઓ કવોરન્ટાઈન થઈને ઘરે બેસી રહયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે આપ નેતા મહેશ સવાણીની હોસ્પિટલો પણ ઇરાદાપૂર્વક ભાજપના મળતીયાઓએ બંધ કરી દીધી હોવાનું અને ગુજરાતમાં દારૂબંધી અંગે સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું કે રાજ્યમાં દૂધ કરતાં તો દારૂની વધારે હોમ ડિલિવરી થાય તેમ પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ જણાવી પ્રહારો કર્યા હતા. તેમજ સરપંચ બની નગરસમિતી બનાવી ગ્રામજનોની મુશ્કેલી દૂર કરવા જણાવ્યું હતું. ઉપરાંત આમ આદમી પાર્ટીને રાજકારણનો ‘ર’ નથી આવડતો પણ કામ નો ‘ક’ આવડે છે તેમ જણાવી સરકાર બનાવવા આહવાન કર્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રવકતા વિક્રમભાઈ દવે, પ્રદેશ ખેડૂત સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ સહમંત્રી કમલેશ કોટેચા તથા પરસોત્તમ મકવાણા તેમજ જિલ્લા આપના પ્રમુખ હિતેશ બજરંગ, લખતર પંચાયતના સરપંચપદના ઉમેદવાર દમયંતિબેન વૈષ્ણવ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

संबंधित पोस्ट

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

Karnavati 24 News

 રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે સીંગવડ અને લીમખેડા ખાતે રૂ. ૨૭ કરોડથી વધુના શૈક્ષણિક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

Karnavati 24 News

 જસુણી ગ્રામ પંચાયતમાં મતદાન પેટીમાંથી વધારે મતપત્ર નીકળેલ હોવાના આક્ષેપો સાથે ફરી મતદાન કરાવવા મામલતદારને રજુઆત

Karnavati 24 News

ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન મામલે આ વાત કહી

Karnavati 24 News

આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

Karnavati 24 News

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

Karnavati 24 News