Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 અસિત વોરાને પદ પરથી હટાવો, યુવરાજ સિંહ જાડેજાનું સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ

હેડ ક્લાર્કની ભરતીના પેપર લીક મામલે સરકાર સફાળી જાગી છે અને પેપર લીક કરનારા 10 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરીને પેપર લીક થવાનું કબુલ્યુ હતુ. પેપર લીકનો ખુલાસો કરનારા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને ચેરમેન પદેથી હટાવવા કહ્યુ છે. યુવરાજ સિંહે સરકારને તપાસ પૂર્ણ થાય ત્યા સુધી અસિત વોરાને પદ પરથી હટાવવા સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યુ છે.

યુવરાજ સિંહ જાડેજાએ ચેતવણી આપતા કહ્યુ કે, સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યુ છે કે અસિત વોરાને પદ પરથી તપાસ પૂર્ણ થયા ત્યા સુધી દૂર કરો નહી તો રસ્તા પર ફરી આંદોલન થશે. વધુમાં યુવરાજ સિંહે કહ્યુ કે અમે નથી ઇચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલુ છે ત્યા સુધી અસિત વોરાને તેમના પદથી દૂર રાખવામાં આવે.

પ્રાંતિજ પોલીસે અત્યાર સુધી 10માંથી 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં મહેશ પટેલ, (ન્યૂ રાણીપ), કુલદીપ પટેલ (કાણીયોલ, હિંમતનગર), ચિંતન પટેલ (પ્રાંતિજ), ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા, સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી.

 

संबंधित पोस्ट

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

उदयपुर अहमदाबाद रेल मार्ग पर ब्लास्ट मामले में पुलिस ने तीन युवकों को पकड़ा

Admin

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામના ઘૂંટીયા ગામના નરાધમે 19 વર્ષીય યુવતીને મોટરસાયકલ પર બેસાડી નજીકના અંબા ગામના જંગલમાં લઈ જઈ યુવતી ઉપર બળજબરીપૂર્વક પાશવી બળાત્કાર ગુજાર્યાંનું જાણવા મળેલ છે.

સુરત : બારડોલીમાં વિધિના બહાને છેડતી કરનાર લંપટ બાપુને પોલીસે પકડી પાડ્યો

Karnavati 24 News

જામનગર માં જેવા સાથે તેવા જેવી ઘટના થી ચકચાર …

Admin

ટ્રકની ટક્કરે મહીલાનું મોત: ઉના પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે 70 વર્ષિય વૃદ્ધાને હડફેટે લીધા, મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

Admin
Translate »