Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સીલસીલો ચાલી રહ્યો છે. જયરાજ સિંહના એક ટ્વીટથી ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.મહેસાણા પંથકના કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાવાના સમાચાર સામે આવી રહ્યા છે, જે બાદ કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહે ટ્વીટ કર્યુ હતું. જેમાં કિસ કો ફિકર હૈ કી કબીલે કા ક્યા હોગા…! સબ ઇસી બાત પર લડતે હૈ કી સરદાર કૌણ હોગા…!!જયરાજ સિંહના ગ્રુપના મહેસાણા, બહુચરાજી પંથકના સભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. જયરાજ સિંહના ટ્વીટ પછી તે પણ ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસમાંથી કોઇ એક મોટા નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.આગામી 5 રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતમાં પણ ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ બાબતને લઇને અત્યારથી જ ચર્ચાઓ થઇ રહી છે. બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યુ છે કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદ સભઅયો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું નથી પછી સંગઠનનું મહત્વ ક્યાથી વધે. જયરાજ સિંહનું બીજુ ટ્વીટ તેમની પક્ષ પ્રત્યેની નારાજગી દર્શાવી રહ્યુ છે.

संबंधित पोस्ट

ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર અને આંદોલનકારી રાહુલ રાવલ આપમાં જોડાયા

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

પાકિસ્તાની મીડિયાએ પણ આપી દીધી પીએમ શાહબાઝને સલાહ, ‘સમય છે, ભારત સાથે સંબંધો સુધારી લો’

Karnavati 24 News

लखनऊ : हिन्दू महासभा के प्रदेश प्रवक्ता शिशिर चतुर्वेदी हुए नजरबन्द

Admin