Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સીલસીલો ચાલી રહ્યો છે. જયરાજ સિંહના એક ટ્વીટથી ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.મહેસાણા પંથકના કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાવાના સમાચાર સામે આવી રહ્યા છે, જે બાદ કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહે ટ્વીટ કર્યુ હતું. જેમાં કિસ કો ફિકર હૈ કી કબીલે કા ક્યા હોગા…! સબ ઇસી બાત પર લડતે હૈ કી સરદાર કૌણ હોગા…!!જયરાજ સિંહના ગ્રુપના મહેસાણા, બહુચરાજી પંથકના સભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. જયરાજ સિંહના ટ્વીટ પછી તે પણ ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસમાંથી કોઇ એક મોટા નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.આગામી 5 રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતમાં પણ ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ બાબતને લઇને અત્યારથી જ ચર્ચાઓ થઇ રહી છે. બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યુ છે કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદ સભઅયો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું નથી પછી સંગઠનનું મહત્વ ક્યાથી વધે. જયરાજ સિંહનું બીજુ ટ્વીટ તેમની પક્ષ પ્રત્યેની નારાજગી દર્શાવી રહ્યુ છે.

संबंधित पोस्ट

10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

Karnavati 24 News

ગુજરાત દિપોત્સવ અંક વિક્રમ સંવત 2078 મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો

નરેન્દ્ર મોદી તેમના ‘સેકન્ડ હોમ’માં: PM બન્યા બાદ પ્રથમ વખત હિમાચલમાં રાત્રિ રોકાણ કરશે; કાંગરી ધામ અને સેપુ મોટી પીરસવામાં આવશે

Karnavati 24 News

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉસ સોર્સિંગ કર્મચારીઓનું બેફામ શોષણ

Translate »