Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ના અનુરોધ પર કેન્દ્રીય રેલ મંત્રીએ પ્રયાગરાજ જતી ટ્રેનમાં વધારાના કોચ ઉમેરાવ્યા



(જી.એન.એસ) તા. 28

અમદાવાદ,

અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા દ્વારા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને અનુરોધ કર્યો હતો કે, મહાકુંભ ના પવિત્ર અવસર પર અમદવાદ થી પ્રયાગરાજ જતાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે ટ્રેનમાં ટીકીટની અછત થઈ રહી છે. સંજોગોને ધ્યાને લેતા તેઓએ વધુ કોચ ઉમેરવા અને ટ્રેનના ફ્રિકવન્સીમાં પણ વધારો કરવા માટે અનુરોધ કર્યો હતો, તે પછી કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા ના અનુરોધ પર તુરંત યોગ્ય પગલાં લેવા મંજુરી આપી હતી જેથી તા. 28/01/2025 થી અમદાવાદ – પ્રયાગરાજ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. સાંસદ દિનેશ મકવાણાએ પોતાના અનુરોધ પર તવિરત પગલાં ભરવા પર કેન્દ્રીય રેલ મંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. હવે વધારાના કોચને ઉમેરવાના નિર્ણયથી અમદાવાદ-પ્રયાગરાજ જતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે, આ નિર્ણયથી ટ્રેન મુસાફરોને મોટી રાહત મળશે અને પ્રવાસીજનોને યોગ્ય સીટો સાથે નું સ્થાન મળી શકશે.

संबंधित पोस्ट

કેન્દ્રીય ગૃહમંત્રીમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી

Gujarat Desk

ભાવનગર મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું

Gujarat Desk

કોલ્ડપ્લે કોન્સર્ટના માટે આવેલા બેન્ડ ના સભ્યો અમદાવાદમાં રસ્તા પર આવેલી ટપરી પર ચાની મજા માણી

Gujarat Desk

વર્ષ ૨૦૨૫-૨૬ અંદાજપત્ર પોથીને આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ બોર્ડરથી ગૂંથાઈ

Gujarat Desk

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

Gujarat Desk

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

Karnavati 24 News
Translate »