Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત



(જી.એન.એસ) તા. 1

રાજકોટ,

રાજકોટમાં મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે એક સગીરનું દુઃખદ અવસાન થયું છે.  રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં સ્પીડબ્રેકર પર યોગ્ય પટ્ટા ના અભાવે 14 વર્ષીય સગીરનું કરૂણ મોત થયું હતું.

આ ઘટનામાં કેશિયો પાર્ટી વગાડી રાત્રે પરત ફરેલા બાઇક સવાર બે પિતરાઈ ભાઈ ઘરે આવી રહ્યાં હતાં. આ દરમિયાન 10 મીટરના અંદરે બે સ્પીડબ્રેતક હતાં, જેની ઉપર નિયમાનુસાર કોઈ પ્રકારના પટ્ટા દોરવામાં નહતાં આવ્યાં. જેના કારણે અંધારામાં સ્પીડબ્રેકર ન દેખાતા બાઇક ઉછળીને થાંભલે ભટાકાઈ. જેના કારણે બંને થાંભલે અથડાયા અને સુમિત પરમાર નામના સગીરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને બીજો ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. 

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તંત્રની બેદરકારીને કારણે એક યુવાન જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. લોકોએ માંગ કરી છે કે, તાત્કાલિક સ્પીડબ્રેકર પર યોગ્ય પટ્ટા લગાવવામાં આવે અને સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા કરવામાં આવે.

આ ઘટનાએ ફરી એકવાર રસ્તાઓની જાળવણી અને સલામતીના મુદ્દાને પ્રકાશમાં લાવ્યો છે. તંત્રએ તાત્કાલિક આ ઘટનાની તપાસ કરવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.

संबंधित पोस्ट

સાવરકુંડલાનાં આદસંગની સીમમાં વન્યપ્રાણીઓ માટે જોખમી ગેરકાયદેસર વીજ જોડાણ દુર કરો

Admin

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ વિસ્ફોટના અવાજથી ગભરાટ; ગેસ લીકને રોકવાનો પ્રયાસ કરીને જગ્યા ખાલી કરાવી

Karnavati 24 News

છાયા – નવાપરામાં બાલવીનગરમાં રહેતા સેજલબેન મેઘનાથીએ આપઘાત નો પ્રયાસ

Admin

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin

કચ્છના રણ રસ્તાની નાસાના ઉપગ્રહમાંથી પ્રથમ તસવીર : બંને બાજુ રણ અને વચ્ચે રસ્તાનું અલૌકિક દ્રશ્ય

Karnavati 24 News
Translate »