Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતરાજકારણ

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

પોરબંદરનાં દરિયાઇ મહેલના રીનોવેશન માટે સરકારે ફેશ-રની કામગીરી માટે ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજારની રકમ મંજુર કરી છે. ફેશ-૧ની કામગીરી પૂર્ણ થયાં બાદ ફેશ-રની કામગીરી શરૂ કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી તો ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ શિક્ષણ વિભાગના સચિવને રજૂઆત કરતાં ફેશ-રની કામગીરી માટે મોટી રકમ મંજૂર કરતાં ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
પોરબંદરના મહારાણાએ શૈક્ષણિક હેતુ માટે પોતાના માતૃશ્રીની સ્મૃતિમાં દરિયામહેલ સરકારને સોંપ્યો હતો. પરંતુ તેની જાળવણીના અભાવે જર્જરીત બની ગયો હતો અને ત્યાં સરકારી બી.એડ્. અને એમ.એ. કોલેજ કાર્યરત હતી. પરંતુ જર્જરીત ઇમારતને કારણે તેનું સ્થળાંતર કરવું જરૂરી બની ગયું હતું. ત્યારે પોરબંદરની ક્નર્ઝવેટરી દ્વારા દરીયાઇ મહેલ માટે જસ્ટીસ ફોર આરજીટીની ટીમે અનેક લડત ચલાવી હતી. ત્યારબાદ પ્રથમ ફેઝમાં રૂપિયા ૭ કરોડ ૩૧ લાખ જેવી માતબર રકમ સરકારે મંજુર કરી હતી અને દોઢ વર્ષ પહેલા તેનું રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પુર્ણ થયા બાદ બીજા ફેઝમાં રૂપિયા ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજાર રૂપિયાનું ટેન્ડર ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાની રજૂઆત બાદ બહાર પડયું છે અને આ કામગીરી ઝડપથી આગળ વધે તેવો શહેરીજનોને આશાવાદ જણાઈ રહ્યો છે.

संबंधित पोस्ट

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News

સુરત: શ્વાનના વધતા આતંક બાદ હવે તંત્ર સફાળું જાગ્યું! મેયરે બેઠક બોલાવી એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો

Admin

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

અમદાવાદમાં પીએમના ભવ્ય સ્વાગતની તડામાર તૈયારીઓ, કટ આઉટ અને પોસ્ટરો લાગ્યા

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

Karnavati 24 News

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin
Translate »