Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતરાજકારણ

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

પોરબંદરનાં દરિયાઇ મહેલના રીનોવેશન માટે સરકારે ફેશ-રની કામગીરી માટે ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજારની રકમ મંજુર કરી છે. ફેશ-૧ની કામગીરી પૂર્ણ થયાં બાદ ફેશ-રની કામગીરી શરૂ કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી તો ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ શિક્ષણ વિભાગના સચિવને રજૂઆત કરતાં ફેશ-રની કામગીરી માટે મોટી રકમ મંજૂર કરતાં ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
પોરબંદરના મહારાણાએ શૈક્ષણિક હેતુ માટે પોતાના માતૃશ્રીની સ્મૃતિમાં દરિયામહેલ સરકારને સોંપ્યો હતો. પરંતુ તેની જાળવણીના અભાવે જર્જરીત બની ગયો હતો અને ત્યાં સરકારી બી.એડ્. અને એમ.એ. કોલેજ કાર્યરત હતી. પરંતુ જર્જરીત ઇમારતને કારણે તેનું સ્થળાંતર કરવું જરૂરી બની ગયું હતું. ત્યારે પોરબંદરની ક્નર્ઝવેટરી દ્વારા દરીયાઇ મહેલ માટે જસ્ટીસ ફોર આરજીટીની ટીમે અનેક લડત ચલાવી હતી. ત્યારબાદ પ્રથમ ફેઝમાં રૂપિયા ૭ કરોડ ૩૧ લાખ જેવી માતબર રકમ સરકારે મંજુર કરી હતી અને દોઢ વર્ષ પહેલા તેનું રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પુર્ણ થયા બાદ બીજા ફેઝમાં રૂપિયા ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજાર રૂપિયાનું ટેન્ડર ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાની રજૂઆત બાદ બહાર પડયું છે અને આ કામગીરી ઝડપથી આગળ વધે તેવો શહેરીજનોને આશાવાદ જણાઈ રહ્યો છે.

संबंधित पोस्ट

તેજ પ્રતાપે તેજસ્વીને ઝડપી ચાલ બતાવી : તેજસ્વીને RJDમાં નીતિગત નિર્ણયનો અધિકાર મળ્યો, અહીં તેજ પ્રતાપે પોતાના સંગઠનનું નામ બદલી નાખ્યું

Karnavati 24 News

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!

Karnavati 24 News

રાજ્યના વિવિધ ૬ ઝોનમાં  આવતીકાલ ૧૬ ફેબ્રુઆરીએ યોજાશે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું

Gujarat Desk

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Gujarat Desk
Translate »