Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું



(જી.એન.એસ) તા.૨૦

જુનાગઢ,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૦મા  પદવીદાન સમારંભ બાદ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા  પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.જુનાગઢ  કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન વિભાગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિમાં જુદા જુદા પાકો પર પ્રયોગો થતા હોય છે, જેની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્યરત પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની પ્રવૃત્તિઓ નિહાળી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. શ્રી આચાર્ય દેવવ્રતજીની આ મુલાકાત દરમિયાન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વી.પી.ચોવટીયા, પ્રાકૃતિક કૃષિ ફાર્મના હેડ પી.જે. ગોહિલ, એસ. કે. છોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ત્યારબાદ  કામધેનુ યુનિવર્સિટી અંતર્ગતના પશુ ઉછેર કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.

संबंधित पोस्ट

 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરાયાઃ

Karnavati 24 News

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’ પહેલ

Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના થકી ૬૫૪ ગામોને લાભ અપાયો: જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat Desk

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

Karnavati 24 News

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો સાબરકાંઠાના ખેડૂતો અને પશુપાલકો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

Gujarat Desk

સરપંચ શકુંતલાબેન વસાવા: કાયમી પાણી વ્યવસ્થાપન દ્વારા પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યાં છે

Gujarat Desk
Translate »