Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દેવાયત ખવડ મામલે મયુરસિંહના પરીવારજનોએ ધરપકડ ના થાય તો આંદોલન કરવાની આપી ચીમકી

દેવાયત ખવડની ધરપકડ ના થતા પોલીસ સાથે મિલીભગતને લઈને પરીવારજનોએ આરોપ લગાવ્યો છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા દેવાયત ખાવડ નામના શખ્સે મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં પાઈપથી માર માર્યો હતો.

આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવા છતાં પણ ખવડ પોલીસ પકડથી દૂર છે તે મામલે પરીવારજનો દ્વારા ધરપકડની માંગ કરવામાં આવી રહી છે અને ધરપકડ નહીં થાય તો આંદોવનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જુની અદાવતમાં આ ઝઘડો થયો હતો અગાઉ દેવાયતના પાઈપથી માર મારતો વીડિયો પણ સીસીટીવીનો સામે આવ્યો હતો.

પાઇપ જેવા હથિયાર વડે કરેલા હુમલામાં મયુરસિંહ રાણાને બંને પગમાં ગંભીર ઇજાઓ થઇ છે. ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે ગંભીરતા દાખવીને ધરપકડની માંગ કરાઈ છે જ્યારે દેવાયત ખવડ તેમના ઘરેથી ક્યાંક ભાગી ગયો હોવાથી પોલીસ હજુ સુધી ફરીયાદ થતા હાજર કરી શકી નથી.

પોલીસે આશ્રયસ્થાનો સહિત તેના વતન સ્થાનની શોધખોળ કરી છે પરંતુ હજુ સુધી દેવયાતની ધરપકડ કરી શકી નથી. આજે મયુરસિંહ રાણાના પરિવાર અને મિત્રોએ 48 કલાકમાં તેની ધરપકડ કરવાની માંગ કરી છે. જો ધરપકડ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગેથી આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

संबंधित पोस्ट

અમદાવાદથી બાઈક પર રોડા ગામે આવતા યુવકનું કારની ટક્કરથી મોત

Karnavati 24 News

સુરત ના પાંડેસરા વિસ્તાર મા લાશ મળી

Karnavati 24 News

ઉનાના નાંઠેડ ગામમાં ઢોર માટે ઢાળિયુ બનાવતા આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા બનાવટી લાઇસન્સના ગુનાના કામે છેલ્લા સાત માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને પકડી પાડની અમરેલી રૂરલ પોલીસ ટીમ

Karnavati 24 News

નકલી ચલણી નોટ પ્રકરણમાં નોટ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

Admin

જૂનાગઢના વિશાળ હડમતીયાના પાટીયા પાસે ઢોળવા ગામના યુવાનને હનીટ્રેપ માં ફસાવી અપહરણ કરી માંગી ૧.૨૦ લાખની ખંડણી

Karnavati 24 News