Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જામનગર માં સામાન્ય બાબત થી માતા પિતા ને છરી ની અણી બતાવી મારી નાખવાની ધમકિ

જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાં રહેતા એક મહિલા કોર્પોરેટરના પુત્રએ પ્રકાશયું છે, અને ઘરમાં લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં માતા-પિતાને જ છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજગોર ફળી શેરી નંબર -2 માં પંજાબ નેશનલ બેંકવાળી ગલીમાં રહેતા પૂર્વ મહિલા કોર્પોરેટર નયનાબેન કલ્યાણી કે જેમના પતિ ભરતભાઈ મોહનભાઈ કલ્યાણી દ્વારા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર સામે છરી ની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભરતભાઈ અને પૂર્વ કોર્પોરેટર નયનાબેન ના પુત્ર જીગર કલ્યાણી કે જે અવારનવાર ઘરમાં ઝઘડા કરતો રહે છે, ગઈકાલે ઘરમાં જરૂરિયાત સિવાયની લાઈટો બંધ કરવાના મામલે પોતાના માતા પિતા સાથે ભારે જીભાજોડી કરી હતી, અને બંનેને છરીની અણીએ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આખરે માતા-પિતા દ્વારા સમગ્ર મામલો સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. પોલીસે પિતા ભરતભાઈ ની ફરિયાદ ના આધારે પુત્ર જીગર સામે ગુનો નોંધી વધુ તપાસ કરી છે.

संबंधित पोस्ट

અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Karnavati 24 News

કતારગામમાં શંકાસીલ પતિનું કારસ્તાન, બાળકો સામે જ પત્નીને પેટ, છાતી અને પગમાં ગોળી મારી

Karnavati 24 News

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

Karnavati 24 News