Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગર કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ભારે રોષ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ટીકિટોને લઈને વિખવાદ વધી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં હજુ પણ આંતરિક વિખવાદ પૂરો થવાનું નામ નથી લેતો અને ઉમેદવારોને લઈને ભારે નારાજગી બહાર આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ છે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ છે. મહીસાગર કોંગ્રેસ યાદ સુરતના માંગરોળ તલુકામાં કોંગ્રેસમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે.

મહીસાગર જિલ્લામાં 3 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત ન થતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહાર આવી રહ્યો છે. લુણાવાડા કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ પણ મહીસાગર જિલ્લામાં ઉમેદવારો જાહેર ન થતા કોકડું ગુંચવાઈ ગયું છે. સુરતના માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં ભડકો થયો છે અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય ભરતસિંહ કાઠવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત વટારીયા સુગરના માજી ડિરેક્ટર જયેન્દ્રસિંહ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીના એક પછી એક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ગત ચૂંટણીમાં જે કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકો જીતી છે તેમાં વધુ ફોક્સ રાખ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલાઈ રહ્યા છે.

संबंधित पोस्ट

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પક્રિયા શરૂ કરાઇ

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું; પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી

Admin

સુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોતસુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોત

Karnavati 24 News

છાયા – નવાપરામાં બાલવીનગરમાં રહેતા સેજલબેન મેઘનાથીએ આપઘાત નો પ્રયાસ

Admin

ફુલ પગારી શિક્ષકોબનું એરિયર્સ ચુકવી સીપીએફ એકાઉન્ટ ખોલાવવા માંગ કરી

Admin