Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારપ્રદેશરાજકારણરાજ્ય

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

અમિત શાહની એક પછી એક જંગી સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે આજે તેઓ 5 જિલ્લાઓમાં સભાઓ ગજવશે. તેઓ આજે અમદાવાદમાં પણ સભા માટે આવી રહ્યા છે. તેમની દિવસ દરમિયાન આજે સભાઓ ચાલશે. આજના દિવસની અંતિમ સભા રાત્રે 8.30 કલાકે નરોડામાં રહેશે.

અમિત શાહ અને નરેન્દ્ર મોદી એક પછી એક સતત સભાઓ ગજવી રહ્યા છે. અમિત શાહની છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણચ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં સભાઓ યોજવામાં આવી રહી છે. ત્યાકે અમિત શાહ 5 જિલ્લામાં સભા કરશે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાંદોદમાં રોડ શોનું આયોજન કરી રહ્યા છે. મહુધા વિધાનસભા બેઠકના પ્રચાર માટે શાહ સૌથી પહેલા નડિયાદ જશે અને ત્યાર બાદ અમિત શાહ ઝાલોદ અને વાગરામાં જાહેર સભાઓને સંબોધશે આ ઉપરાંત કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સૂર્ય દરવાજાથી નાંદોદમાં હરસિદ્ધિ માતા મંદિર સુધી રહેશે. આ ઉપરાંત તેઓ રાત્રે અમદાવાદના નરોડા ખાતે જનસભાને સંબોધીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને પૂર્વ વિસ્તાર અમદાવાદનો કે જ્યાં કોંગ્રેસને ગત વખતે 5 સીટો મળી હતી ત્યારે ભાજપ દ્વારા પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ શાહની સભાનું આયોજન કરાયું છે.

संबंधित पोस्ट

નબીપુર નજીક પરવાના હોટેલ સામે ૫ વાહનો વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બેના ઘટના સ્થળે ત્રણ ગંભીર.

Admin

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર-23માં મોડી રાતે આગના બે બનાવ, કોર્ટ પાસે ઝૂંપડામાં લાગી આગ, યોગેશ્વર ફ્લેટમાં મીટર બોક્સ ભભકી ઊઠ્યું

Admin

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

જિલ્લા કલેકટર ક્ષિપ્રાના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી આ કેમ્‍પમાં દિવ્‍યાંગ રોજગાર ભરતી મેળાની પણ નોંધણી કરવામાં આવશે

Karnavati 24 News

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

Karnavati 24 News

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

Karnavati 24 News
Translate »