Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારપ્રદેશરાજકારણરાજ્ય

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

અમિત શાહની એક પછી એક જંગી સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે આજે તેઓ 5 જિલ્લાઓમાં સભાઓ ગજવશે. તેઓ આજે અમદાવાદમાં પણ સભા માટે આવી રહ્યા છે. તેમની દિવસ દરમિયાન આજે સભાઓ ચાલશે. આજના દિવસની અંતિમ સભા રાત્રે 8.30 કલાકે નરોડામાં રહેશે.

અમિત શાહ અને નરેન્દ્ર મોદી એક પછી એક સતત સભાઓ ગજવી રહ્યા છે. અમિત શાહની છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણચ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં સભાઓ યોજવામાં આવી રહી છે. ત્યાકે અમિત શાહ 5 જિલ્લામાં સભા કરશે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાંદોદમાં રોડ શોનું આયોજન કરી રહ્યા છે. મહુધા વિધાનસભા બેઠકના પ્રચાર માટે શાહ સૌથી પહેલા નડિયાદ જશે અને ત્યાર બાદ અમિત શાહ ઝાલોદ અને વાગરામાં જાહેર સભાઓને સંબોધશે આ ઉપરાંત કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સૂર્ય દરવાજાથી નાંદોદમાં હરસિદ્ધિ માતા મંદિર સુધી રહેશે. આ ઉપરાંત તેઓ રાત્રે અમદાવાદના નરોડા ખાતે જનસભાને સંબોધીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને પૂર્વ વિસ્તાર અમદાવાદનો કે જ્યાં કોંગ્રેસને ગત વખતે 5 સીટો મળી હતી ત્યારે ભાજપ દ્વારા પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ શાહની સભાનું આયોજન કરાયું છે.

संबंधित पोस्ट

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News

વિદેશની ધરતી પરથી લડાયેલા ભારતના સ્વાધીનતા સંગ્રામ વિષે પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાનું સંબોધન

Karnavati 24 News