Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

આજે કમલમ ખાતે આપ નેતા રાજભા ઝાલા સહિતના સમર્થકો જોડાયા છે ત્યારે

કાર્યક્રમમાં પ્રદિપસિંહ વાઘેલાજી મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ નરેન્દ્રભાઇ મોદી ભવિષ્યના ભારતના નિર્માણ માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે. આજે ભાજપની વિચારધારા સાથે જોડાઇ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા છે તેથી ભાજપના કાર્યકરો વતી તેમનું હૃદયથી સ્વાગત છે.
 પ્રદિપસિંહ વાઘેલાજીએ આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે. JNUમાં અફઝલ હમ શર્મિદા હૈ..તેરે કાતિલ ઝિંદા હૈ…ના નારા લગાવનાર લોકોને અને સુપ્રિમ કોર્ટે અફઝલને ફાંસીની સજા આપી હતી કોર્ટના આ નિર્ણય સામે સવાલો કરનાર લોકો વચ્ચે આપ પાર્ટીના નેતા કેજરીવાલ તેમને સમર્થન આપતા હતા. આપ પાર્ટીએ અર્બન નકસલી પાર્ટી છે જે ભારતને તોડવા માટેની રાજનીતી કરવા દેશભરમાં ફરી રહી છે. દેશમા ઘણા રાજયોની ચૂંટણીમાં તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાત અને હિમાચલની જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતની જનતા ફરી ભાજપને જીતાડી ઐતિહાસીક બેઠકોથી વિજય બનાવશે તેવો વિશ્વાસ છે. પ્રદિપસિંહ વાધેલાજીએ વધુમાં જણાવ્યું કે આવો સૌ સાથે મળી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં ભારતના નવ નિર્માણના ભગિરથ કાર્યમાં સહભાગી થઇએ. ભારતની એકત અને અંખડતાને તોડવવા વાળી વિદેશી તાકતોના એજેન્ટોને ગુજડરાતની જનતા જાકોરો આપશે.
 રાજભા ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે ભાજપમાં જોડાવવાથી આનંદની લાગણી અનુભવું છું. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે. રાજકીય પરિબળોના કારણે ભાજપ પાર્ટી છોડી હતી.

संबंधित पोस्ट

ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- કોંગ્રેસ

Karnavati 24 News

 લખનઉંમાં કાકોરી બલિદાન દિવસ પર 19 ડિસેમ્બરે ડ્રોન શો, 75 મીટર કેનવાસ પર ચિત્રકાર શૌર્યગાથા કંડારશે

Karnavati 24 News

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare