Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

આજે કમલમ ખાતે આપ નેતા રાજભા ઝાલા સહિતના સમર્થકો જોડાયા છે ત્યારે

કાર્યક્રમમાં પ્રદિપસિંહ વાઘેલાજી મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ નરેન્દ્રભાઇ મોદી ભવિષ્યના ભારતના નિર્માણ માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે. આજે ભાજપની વિચારધારા સાથે જોડાઇ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા છે તેથી ભાજપના કાર્યકરો વતી તેમનું હૃદયથી સ્વાગત છે.
 પ્રદિપસિંહ વાઘેલાજીએ આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે. JNUમાં અફઝલ હમ શર્મિદા હૈ..તેરે કાતિલ ઝિંદા હૈ…ના નારા લગાવનાર લોકોને અને સુપ્રિમ કોર્ટે અફઝલને ફાંસીની સજા આપી હતી કોર્ટના આ નિર્ણય સામે સવાલો કરનાર લોકો વચ્ચે આપ પાર્ટીના નેતા કેજરીવાલ તેમને સમર્થન આપતા હતા. આપ પાર્ટીએ અર્બન નકસલી પાર્ટી છે જે ભારતને તોડવા માટેની રાજનીતી કરવા દેશભરમાં ફરી રહી છે. દેશમા ઘણા રાજયોની ચૂંટણીમાં તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાત અને હિમાચલની જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતની જનતા ફરી ભાજપને જીતાડી ઐતિહાસીક બેઠકોથી વિજય બનાવશે તેવો વિશ્વાસ છે. પ્રદિપસિંહ વાધેલાજીએ વધુમાં જણાવ્યું કે આવો સૌ સાથે મળી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં ભારતના નવ નિર્માણના ભગિરથ કાર્યમાં સહભાગી થઇએ. ભારતની એકત અને અંખડતાને તોડવવા વાળી વિદેશી તાકતોના એજેન્ટોને ગુજડરાતની જનતા જાકોરો આપશે.
 રાજભા ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે ભાજપમાં જોડાવવાથી આનંદની લાગણી અનુભવું છું. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે. રાજકીય પરિબળોના કારણે ભાજપ પાર્ટી છોડી હતી.

संबंधित पोस्ट

જામનગર કોગ્રેસે બેરોજગારી અને પેપર લીક બાબતે રેલી કાઢી

Karnavati 24 News

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

Admin

સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પર ક્યુબાએ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડ્યો, બંને દેશો વચ્ચે FOC વાટાઘાટો

Karnavati 24 News

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, ભારત-ચીન સંબંધો પર આપશે ભાષણ

Admin

રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાંથી 1000 થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ ગુમ, વિક્રમસિંઘેએ આ વાત કહી

Karnavati 24 News
Translate »