Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

બનાસકાઠાના થરાદમાં પીએમ નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ટૂંક સમયમાં થરાદમાં જનસભાને સંબોધશે. વડાપ્રધાન આજે બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8 હજાર 34 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકામોથી ઉત્તર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.

પીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. પીએમ મોદીની સભામાં દૂર-દૂરથી લોકો પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેવડિયા ખાતેથી મોરબી હોનારત અંગે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેઓ આવતી કાલે મોરબી દુર્ઘટના ગ્રસ્ત સ્થળ પર જઈ સમીક્ષા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે દૂર-દૂરથી લોકો બસ દ્વારા પહોંચી રહ્યા છે. આ તરફ વડાપ્રધાન સાથેની બેઠક તરફ જતા રસ્તા પર ત્રણ કિમી સુધી બસની લાઈન જોવા મળી રહી છે. આ સાથે એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે.

રૂપિયા 1566 કરોડના ખર્ચે કસરાથી દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 191 કરોડના ખર્ચે ડીંડરોલથી મુક્તેશ્વર પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 88 કરોડના ખર્ચે સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ, કાંકરેજ, દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.

संबंधित पोस्ट

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

હવામાનની આગાહી: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 55 દિવસ, જેમાં વધુ વરસાદ પડશે; ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પૂર અને લેન્ડ સ્લાઇડને કારણે નુકસાનનો ભય

Karnavati 24 News

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

Karnavati 24 News

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin
Translate »