બનાસકાઠાના થરાદમાં પીએમ નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ટૂંક સમયમાં થરાદમાં જનસભાને સંબોધશે. વડાપ્રધાન આજે બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8 હજાર 34 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકામોથી ઉત્તર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.
પીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. પીએમ મોદીની સભામાં દૂર-દૂરથી લોકો પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેવડિયા ખાતેથી મોરબી હોનારત અંગે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેઓ આવતી કાલે મોરબી દુર્ઘટના ગ્રસ્ત સ્થળ પર જઈ સમીક્ષા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે દૂર-દૂરથી લોકો બસ દ્વારા પહોંચી રહ્યા છે. આ તરફ વડાપ્રધાન સાથેની બેઠક તરફ જતા રસ્તા પર ત્રણ કિમી સુધી બસની લાઈન જોવા મળી રહી છે. આ સાથે એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે.
રૂપિયા 1566 કરોડના ખર્ચે કસરાથી દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 191 કરોડના ખર્ચે ડીંડરોલથી મુક્તેશ્વર પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 88 કરોડના ખર્ચે સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ, કાંકરેજ, દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.