Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણસ્થાનિક સમાચાર

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

નિર્ણય પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી. કોર્પોરેટરો મળતી ગ્રાન્ટમાંથી ખરીદી કરી મળતિયાઓને લ્હાણી કરતાં હોવાનો પણ આક્ષેપ. ગાંધીનગર મહાનગર પાલિકાની તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર શહેરના નાગરિકો પાસેથી મિલકત ટ્રાન્સફર ફી વસુલ કરવા માટે તધલખી નિણૅય લેવામાં આવેલો છે. જેના પગલે ગાંધીનગર શહેરના નાગરિકોમાં સખ્ત વિરોધની સાથે આક્રોશ વ્યાપ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરને શહેર વસાહત મહાસંઘ દ્વારા રજૂઆત પણ કરાઈ છે. સંસ્થાના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, મિલકત ટ્રાન્સફર વંશ પરંપરાગત થતી હોય છે, વેચાણ થતી નથી. જ્યારે મિલકત વેચાણથી ટ્રાન્સફર થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડયૂટી વસુલ કરવામાં આવે છે તેમજ મિલકત વેરો પણ લેવામાં આવે છે. આ રીતે ડબલ ટેક્સ ચલાવી ન લેવાય. જેનો ગાંધીનગર શહેરના નાગરિકો સખ્ત વિરોધ કરી રહ્યા છે. જે પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી છે.

संबंधित पोस्ट

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

Karnavati 24 News

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News

પાટણ યુનિવર્સિટીમાં મહિલાઓની જાતીય સતામણી વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલા ઝાંપ ગામની દીકરીઓ નેશનલ ગેમ્સમાં લેશે ભાગ, જિલ્લામાં આવે છે પ્રથમ ક્રમે

Karnavati 24 News

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

Karnavati 24 News