Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારદેશપ્રદેશરમતગમતસ્થાનિક સમાચાર

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાનારી નેશનલ ગેમ્સનો આગામી તા. 29મી સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. જેમાં અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં 29મીએ યોજાનારા એક શાનદાર સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. સાથે જ ગુજરાતના અન્ય શહેરોમાં પણ નેશનલ ગેમ્સની એક સાથે શરૂઆત કરવા માટેના આયોજનને લીલીઝંડી આપવામાં આવી છે.

અમદાવાદના કાર્યક્રમ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઉદ્ઘાટન કરશે મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજવામાં આવનારી તમામ નેશનલ ગેમ્સ માટેના આયોજન અને જરૂરી વ્યવસ્થા પૂર્વ મ્યુનિ. કમિશનર એવા રાજ્યના શહેરી વિકાસ વિભાગના વડા મૂકેશકુમારને સોંપવામાં આવી છે.

જ્યારે મ્યુનિ. કોર્પોરેશનની ટીમમાં ત્રણ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો આઇ કે. પટેલ, સી.આર. ખરસાણ અને રમેશ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નેશનલ ગેમ્સ સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં એક સપ્તાહ સુધી ચાલનાર છે. આ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ અને ગેમ્સની અમદાવાદમાં રમાનારી રમતોના આયોજન તથા વ્યવસ્થા અંગે મ્યુનિ. કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેશનલ ગેમ્સ અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, ઉપરાંત રિવરફ્રન્ટ, કાંકરિયા લેઇક ફ્રન્ટ, મણિનગર વ્યાયામ શાળા, નરોડા વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ સહિત અનેક સ્પોર્ટ્સ સંકુલોમાં કઈ કઈ રમતોની સ્પર્ધાઓ થશે તેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

ફ્રાન્સના ક્રિકેટરે રચ્યો ઇતિહાસ, ઇન્ટરનેશનલ ટી-20માં સૌથી નાની ઉંમરે ફટકારી સદી

Karnavati 24 News

એશિયા કપ માટે પસંદ ના થયા આ ત્રણ ખેલાડી, ટી-20 વર્લ્ડકપ રમવા પર ઉભા થયા સવાલ

Karnavati 24 News

સોનુ ખરીદતા પહેલા આટલું વિચારજો સોનુ ખરીદનાર વ્યક્તિ માટે ખરાબ સમાચાર

Karnavati 24 News

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Karnavati 24 News

તળાજા તાલુકાના જૂની છાપરી ગામે મેલડી માતાજીનો 24 કલાક નો નવરંગો માંડવો યોજાયો

Karnavati 24 News

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

Karnavati 24 News