Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)માં કામ કરવા માંગતા વૈજ્ઞાનિકો માટે સારા સમાચાર છે. સરકારે DRDOમાં ખાલી રહેલા પદોને ભરવા માટે મંજૂરી આપી દીધી છે. ટુંક સમયમાં જાહેરાત બહાર પાડીને આ ખાલી પદોને ભરવામાં આવશે.

દેશમાં મેક ઇન ઇન્ડિયાને વધારવામાં મહત્વ ભૂમિકા નીભાવી રહેલા સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)માં 1248 વૈજ્ઞાનિકોની ભરતીને સૈદ્ધાતિંક રીતે મંજૂરી મળી ગઇ છે. નિર્ણય હેઠળ તબક્કાવાર રીતે વૈજ્ઞાનિકોની ભરતી પ્રક્રિયા આવનારા ત્રણ-ચાર વર્ષની અંદર પૂરી કરી લેવામાં આવશે. ડીઆરડીઓ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકોની કમીનો સામનો કરી રહ્યુ છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર નાણા મંત્રાલયે આ પ્રસ્તાવને સૈદ્ધાતિંક રીતે મંજૂરી આપી દીધી છે.

પ્રસ્તાવ હેઠળ ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળામાં પહેલાથી ખાલી પડેલા વૈજ્ઞાનિકોના 814 પદોને ભરવામાં આવશે. આ સિવાય અલગથી વૈજ્ઞાનિકોના 434 નવા પદ પણ ભરવામાં આવશે.

સરકારે કહ્યુ કે તેમાં એક તબક્કાવાર કાર્યક્રમ હેઠળ આગામી ત્રણ ચાર વર્ષની અંદર આ પદોને ભરવામાં આવશે. મંત્રાલય અનુસાર ડીઆરડીઓ પાસે વૈજ્ઞાનિકોના સ્વીકૃત પદોની સંખ્યા 7773 છે. વર્તમાન સમયમાં 6959 વૈજ્ઞાનિક સેવા કરી રહ્યા છે. આશરે 10 ટકાની કમી જોવા મળી રહી છે. બીજી તરફ મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ થયા બાદ ડીઆરડીઓની જવાબદારી પણ વધી છે. જેનાથી નવા પદોના સર્જનની પણ જરૂરત પડી છે. આ રીતે નાણા મંત્રાલયે માત્ર નવા પદને સર્જન કરવાની મંજૂરી આપી છે અને પહેલા ખાલી પદોને ભરવા પર પણ સહમતિ વ્યક્ત કરી છે.

પ્રોત્સાહિત કરવા માટે પીઆરઆઇએસની માંગ

આ રીતે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે પરફોર્મન્સ રિલેટેડ ઇન્સેટિવ યોજના (PRIS)ના ક્રિયાન્વયનની માંગ ચાલી રહી છે. આ રીતની યોજના ઇસરો અને પરમાણુ ઉર્જા વિભાગમાં છે. ડીઆરડીઓના વૈજ્ઞાનિક પણ તેને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યુ કે આ મુદ્દાને પણ ગંભીરતાથી જોવામાં આવી રહ્યુ છે.

संबंधित पोस्ट

વિવિધતામાં એકતાનું અલૌકિક સ્વરૂપ રજૂ કરતો ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ કાર્યક્રમ યોજાશે

Admin

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin

યુવાનો માટે ખુશખબર/ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત, સેનામાંથી 4 વર્ષની સેવા આપ્યા બાદ નોકરીએ રાખશે

Karnavati 24 News

સરકારી નોકરી: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 400 જગ્યાઓ માટે ભરતી, ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે

Karnavati 24 News

વડીયા ના કોલડા ગામે લુટની ઇરાદે વુઘ્ઘ દપંતી પર હુમલો કરી લૂંટ નો નિસ્ફળ પ્રયાસ કરનાર આરોપી ઓ ઝડપાયા અમરેલી એલસીબી એ ચાર આરોપી ને ઝડપી લીધા

Admin
Translate »