Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જામનગર કોંગ્રેસનો ગઢ, ભાજપ માટે કપરા ચઢાણ છતાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો

સૌરાષ્ટ્રમાં ગત વખતે ભાજપે ભારે નુકશાન વેઠ્યું હતું ત્યારે આ વખતે ભાજપ અહીં 54 બેઠકો પર મહેનત કરી રહી છે. ત્યારે તેમના માટે જામનગર એ કપરા ચઢાણ સમાન રહ્યું છે. આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે આજે  જામનગર દક્ષિણ બેઠક માટે આજે લેવાયેલી સેન્સ પ્રક્રીયામાં ઉમેદવારોનો રાફડો ફાટી નિકળ્યો હતો. જેથી ભાજપ પણ અહીં આ બેઠક માટે રીપિટ થીયરી અપનાવે તેવી શક્યતા છે. જામનગરની જવાબદારી રાઘવજી અને પૂનમ માડમને સોંપાઈ છે પરંતુ તેમને પણ આ માટે અલગ રણનિતી અપનાવવી પડી શકે છે.

જામનગર જિલ્લાની કાલાવડ બેઠક અનુસૂચિત સમાજ માટે અનામત બેઠક છે. જે હાલમાં કોંગ્રેસના નેજા હેઠળ છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસાડિયા આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે. જામજોધપુર બેઠક પણ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા બેઠક પર જીત્યા છે.

આ બેઠક પર કડવા પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે અને પાટીદારોની નારાજગી ગત ચૂંટણીમાં કોંગ્રેસને પણ ફળી હતી ત્યારે હજુ સુધી પાટીદારોને સંપૂર્ણ રીતે રીઝવી શકાયા નથી. જામનગર જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પક્ષ પલટો કર્યો હતો. કૃષિ મંત્રી 2017ની ચૂંટણીમાં હાર્યા હતા  પરંતુ ત્યારબાદ રાઘવજી પટેલ 2019ની પેટાચૂંટણીમાં જીત્યા હતા અને મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું હતું.જેથી આ વખતે પણ ભાજપે પણ વિચારીને આગળ ચાલવું પડશે.

જામનગર શહેરની બે બેઠકો માટે ભાજપે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં બે બેઠક પરથી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં જામનગર ઉત્તરમાં 6 અને દક્ષિણ બેઠક પર 19 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેથી દક્ષિણ બેઠક પર ભાજપ પણ રીપિટ થીયરીનું વિચારી શકે છે.

संबंधित पोस्ट

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાનાર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાટણ યુનિવર્સિટી પહેલી વખત ભાગ લેશે

Karnavati 24 News

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..

Karnavati 24 News

રાજકોટ ખાતે પધારેલા યુવા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીજી નું સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

સુખવિન્દર સિંહ સુખુ બનશે હિમાચલ પ્રદેશના નવા સીએમ! નિર્ણય પર પાર્ટીથી નારાજ પ્રતિભા સિંહ

Admin

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

ગુજરાતની કોર કમિટીમાં લેવાયો નિર્ણય: 22મી સુધી જાહેર કાર્યક્રમોમાં 150 વ્યક્તિઓની રહેશે મર્યાદા

Karnavati 24 News