Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ચૂંટણી પૂરી થઈ ગયા છતાં ગોંડલ-રીબડા વચ્ચે વિવાદ સમ્યો નથી: મોડી રાત્રે મોટાપાયે માથાકૂટ થતાં પોલીસ ઉતારવામાં આવી

ગોંડલ વિધાનસભા મત વિસ્તારની ટિકિટના મુદે ગોંડલ અને રીબડા જુથ્થ વચ્ચે થયેલા મનદુ:ખ ચૂંટણી પુરી થયા બાદ પણ સમ્યુ ન હોય તેમ ફરી ચૂંટણીના મુદે જ બઘડાટી બોલતા મોડીરાતે પોલીસના ધાડેધાડ ઉતારવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ટેકેદારે પૂર્વ ધારાસભ્યના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના બે પુત્ર અને અન્ય પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે રિબડા ખાતે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જયરાજસિંહ દ્વારા બોલાવવામાં આવેલા આ સંમેલનમાં યુવાનો અને મહિલાઓને સ્ટેજ પર બોલાવીને મહિલાઓ પર થયેલા અત્યાચાર થયાના મહિલાઓએ ખુલાસા કર્યા હતા. રિબડામાં મહિપતસિંહ દ્રારા ગેરવર્તન કરી અને ટોચર કરી ધાક ધમકીઓ આપવામાં આવે છે. ગાડીઓ અમારા વિસ્તારમાં રાખી અને ધમકાવે છે તેવા આક્ષેપો જયરાજસિંહના સંમેલનમાં કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપો થયા હતા કે,”ગામમાં પાણી હોવા છતાં પાણી આપતા નથી મહિપતસિંહ અમારા પર ત્રાસ ગુજારે છે. રિબડામાં યુવાનોને પણ ત્રાસ આપે છે તેવા અમારી પાસે અનેક પુરાવા છે. અમો ભાજપ સાથે જોડાયેલા છે એ માટે અનિરૂધસિંહ અને મહિપતસિંહ અમોને ધમકાવે છે મતદાન પણ ભાજપ તરફી કરવું તેવી અમને ધાક ધમકી આપવામાં આવી હતી. અમારા યુવાનોના જમીન પ્લોટમાં કબ્જા કરી વેચી મારવાના ધંધા કરે છે. અમે જે ધંધા રોજગાર કરીયે છીએ એમાં પણ અમને મોટા પાયે નુકસાન કરાવે છે.” વધુ આક્ષેપો કરતા સંમેલનમાં જણાવ્યું હતું કે રાજદીપસિંહ અમોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. અમારી જમીનના ભાવ એ લોકો નક્કી કરે અમે ન સ્વીકારીએ તો અમોને ધાક ધમકીઓ આપે છે. યુવાનોએ મોટા આક્ષેપ કર્યા કે અનિરુદ્ધસિંહ અમારી જમીનો મફતના ભાવે પચાવી લીધી છે.

संबंधित पोस्ट

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચા ચૂંટાયા

Karnavati 24 News

આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે

Karnavati 24 News

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં શરુ થયો આંતરીક વિખવાદ, કોણ થયું નારાજ

Karnavati 24 News

ગુજરાત દિપોત્સવ અંક વિક્રમ સંવત 2078 મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો

જિલ્લા કલેકટર ક્ષિપ્રાના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી આ કેમ્‍પમાં દિવ્‍યાંગ રોજગાર ભરતી મેળાની પણ નોંધણી કરવામાં આવશે

Karnavati 24 News