Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

લગ્નના ૧૧ વર્ષ પછી સાસરા પક્ષનાં ત્રાસથી કાંટાળી લીધા છુટાછેડા: પતિને ભરણ પોષણના ૫૫૦૦ ચૂકવવા કોર્ટનો આદેશ

જસદણમાં રહેતા અને ૧૧ વર્ષથી પરણિત પત્નીને સાસુ, સસરા અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી છૂટાછેડા લીધા જેથી કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે પતિને ભરણ પોષણ પેટે માસિક ૫૫૦૦ પત્નીને ચૂકવવા આદેશ આપ્યો સરિતાબેન અને વિજયભાઈનાં લગ્ન ૨૦૧૧માં થયેલા લગ્ન બાદ સરીતાબેન જસદણ ગામે રહેવા આવેલ હતા. લગ્ન જીવનના 11 વર્ષ પછી સસરા મનસુખભાઈ, સાસુ ગીતાબેન અને તેના પતિ વિજયભાઈ શારિરીક અને માનસીક ત્રાસ આપવા લાગેલ હતા અને ચારીત્ર ઉપર શંકા કરી પેહરે કપડે ઘર બહાર કાઢી મુકેલ હતી જેથી અરજદારે તેના પીતાને ઘરે આશરો લીધેલ હતો ઘણા સમય તેના પીતાજીના ઘરે રહેવા છતા તેના સાસરી વાળા તેડી ન જતા સરીતાબેને વિંછીયા કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કરેલ હતો વિંછીયા કોર્ટમાં સરીતાબેનના પતિએ ખુબ જ રજુઆત કરેલ હતી. ભરણપોષણ ન ચુકવવુ પડે એટલે જુદા જુદા કારણો ઉભા કરેલ હતા. સરીતાબેન શિક્ષીકા તરીકે નોકરી કરે છે અને પોતાનો ભરણપોષણ જાતે કરી શકે તેવી ઉગ્ર રજુઆત કરેલ હતી. લાંબી કાનુની લડત ચાલ્યા બાદ વિંછીયા કોર્ટના જજ સોલંકીએ અરજદાર સરીતાબેનને મુળ અરજી કર્યાની તારીખ થી માસીક રૂા.5500/- તથા અરજીખર્ચ 1000/- આપવાનો હુકમ કરેલ છે. અરજદાર તરફે જસદણના એડવોકેટ ભરતભાઈ પી. અંબાણી, ભાવેશભાઈ એસ. ડાભી, મનસુખભાઈ બી. ડાભી તથા કૃપાલીબેન ચૌહાણ, અસ્મીતાબેન રાઠોડ રોકાયેલ હતા.

संबंधित पोस्ट

જાફરાબાદના લોઠપૂર નજીક અકસ્માત સર્જી ભાગી રહેલા શખ્સ પાછળ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ ગાડી દોડાવી,કાર ચાલકનો કાંઠલો પકડી ભાન કરાવ્યું હીરા સોલંકીએ કાર ચાલકનો ફિલ્મી ઢબે કર્યો પીછો

Karnavati 24 News

અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ મહિલાનો મૃતદેહમાં પતિ જ નીકળ્યો હત્યારો..

Admin

જાહેરમાં ફાયરિંગ કરનાર યુવકનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ: ફાયરિંગ કરનાર શખ્શની ધરપકડ

Karnavati 24 News

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News

 દેડકદળ ગામે દંપતી અને તેના પુત્ર પર ત્રણ સખ્સોએ હુમલો કર્યો

Karnavati 24 News

જો તમે પણ બજારમાંથી ઘી ખરીદતા હોય તો થઈ જાવ સાવધાન: રાજકોટમાંથી ડુપલીકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું

Translate »