Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કારાવાસ સજા કરવામાં આવી

રમેશ કાળુભાઈ ધાખડા ગત તા. ૨૭.૫.૨૦૧૯ના રોજ પંથકની વાડી વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જઈ અપહરણ કરી સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફ મહેશભાઈએ રમેશને મજુરીની વ્યવસ્થા કરી આપી મદદગારી કર્યા સંદર્ભે પોલીસ મથકમાં જે તે સમયે સગીરાના વાલીએ ફરીયાદ આપતા પોલીસે આઈપીસી. ૩૬૬, ૩૬૩, ૩૭૬(આઈ)(એન) તેમજ પોક્સો એક્ટ ૪, ૧૭ અને ક્રીમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસ ચોથા એડિશનલ સેસન્સ (સ્પે. પોક્સો કોર્ટ)ના જજશ્રી ડી.સી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ ૩૩ દસ્તાવેજી પુરાવા, ૨૫ સાહેદોની જુબાની અને સરકારી વકિલ વિજયભાઈ જી. માંડલીયાની દલીલોને ધ્યાન ઉપર લઈ આરોપી રમેશ કાળુભાઈ ધાખડા (રે. નાના જીંજુડા, તા. સાવરકુંડલા)ને તકસીરવાન ઠરાવી આઈપીસી. ૩૭૬(આઈ)(એન), તેમજ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબના ગુનામાં આજીવન કારાવાસ (આરોપીના બાકી આયુષ્ય સુધી)ની સજા તેમજ ૨૫૦૦૦નો દંડ અને ભોગબનનારને ૫૦ હજાર વળતર ચુકવી આપવા હુકમ ફરમાવ્યો હતો. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફે મહેશભાઈ લવજીભાઈને શંકાનો લાભ મળ્યો હતો.

संबंधित पोस्ट

ફારૂક મન્સૂરીની તપાસમાં હાલારી જૂથનું કૌભાંડ ખુલ્યુ . . .

Karnavati 24 News

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં નમકીન અને ફરસાણની દુકાનમાં ચોરીના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો

Karnavati 24 News

દાહોદ તાલુકાના જેકોટ છાયનઘાટી ફળિયામાંથી સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઇસમની tvs અપાચીની રાત્રિના સમયે ઘર આગળથી પાર્ક કરેલી જગ્યા ઉપરથી ચોરી થતાં સિવિલ એન્જિનિયર દ્વારા એ એફઆઇઆર થકી દાહોદ રૂલર પોલી

 ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સોનાનો વેપારી લૂંટાયો

Karnavati 24 News

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

Admin

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News
Translate »